સિલેક્શન નહીં ઇલેક્શન નિશ્ચિત: મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ બનવા માટે 3 ઉમેદવારો મેદાનમાં મોરબીમાં ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ૧૨૪ બાંધકામો રેગ્યુલરાઇઝ કરાયા: ૫૦ બાંધકામોની અરજી મંજૂર મોરબીમાં સ્કૂલ બસના ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ૯.૩૩ લાખનું વળતર વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ મોરબીમાં યુવાનની હત્યા કરીને પુરવાનો નાશ કરવા લાશને સળગાવી દેવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી કોપર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા મોરબીની સબ જેલમાં મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવાના મામલે અજાણ્યા કેદી સહિત તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો હળવદના ગોલાસણ ગામ નજીક ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ડબલ સવારી બાઇક સ્લીપ થતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાતા ટ્રોલીનું ટાયર ફરી જવાથી યુવાનનું મોત મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને પતિ સહિતના છ સાસરિયાંઓ કરિયાવર બાબતે ત્રાસ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો

મોરબીના વેપારી સામે ચેક રીર્ટનના બે ક્રિમીનલ કેસ હતા જે કોર્ટમાં ચાલી ગયા હતા જેમાં વેપારીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે બંને કેસમાં વેપારીને નિર્દોષ ઠરાવી છોડી મકવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી મહમદ તાહીરભાઈ લાકડાવાલા તથા આરોપી મુર્તુજ એમ. જોડિયાવાલા બંન્ને એક જ જ્ઞાતીના હોય એક બીજાને ઓળખે છે અને તે રીતે ફરીયાદી અને આરોપીને મીત્રતાના સબંધ છે. ફરીયાદીએ તેઓનું મકાન પોતાની પત્નીની બીમારીની સારવાર માટે વેચાણ કરેલ હતું અને સારવારમાંથી બચેલ રૂપિયા 6 લાખ આરોપીએ પોતાના ધંધાના કામે તાત્કાલીક જરૂર પડતા મિત્રતાના નાતે હાથ ઉછીની આપ્યા હતા. અને જયારે ફરીયાદીને રૂપિયાની જરૂર હતી ત્યારે આરોપી પાસે રૂપિયાની માંગણી કરતા આરોપીએ તે પૈકી કુલ પાંચ ચેક અલગ અલગ તારીખના કુલ રકમ 6 લાખના આપેલ હતા જે ચેકો ફરીયાદી દ્વારા તેઓની બેંકમાં જમા કરાવતા બધા ચેકો વણચુકવ્યા પરત ફરતા ફરીયાદી મહમદ તાહીરભાઈ લાકડાવાલા દ્વારા આરોપીને નોટીશ આપવામાં આવી હતી છતાં આરોપીએ રકમ ચુકવણી કરેલ નહી જેથી ફરીયાદીએ આરોપી સામે ચેક રીર્ટનના બે ક્રિમીનલ કેસ કર્યા હતા આ બને કેસ કોર્ટમાં ચાલી ગયા હતા જેમાં આરોપીના વકીલ પી.વાય. સોલંકીએ કરેલ દલીલો અને રજુ કરેલા પુરાવાઓને ધ્યાને લઈને ફરિયાદીનું લેણું સમયમર્યાદા બહારનું હોઈ અને ફરિયાદી આરોપીને નાણા આપવા માટે નાણાકીય રીતે સક્ષમ ન હોઈ તે હકીકતોને ધ્યાને લઇ મોરબીના એડી.ચીફ.જયુડી.મેજી. જજ સી.વાય.જાડેજા સાહેબે આરોપી મતંઝા એમ. જોડિયાવાલાને બને કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મકવાનો હુકમ કરેલ છે.




Latest News