મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા ચેક રિટર્નના બે કેસમાં વેપારીનો નિર્દોષ છુટકારો

મોરબીના વેપારી સામે ચેક રીર્ટનના બે ક્રિમીનલ કેસ હતા જે કોર્ટમાં ચાલી ગયા હતા જેમાં વેપારીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે બંને કેસમાં વેપારીને નિર્દોષ ઠરાવી છોડી મકવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ફરીયાદી મહમદ તાહીરભાઈ લાકડાવાલા તથા આરોપી મુર્તુજ એમ. જોડિયાવાલા બંન્ને એક જ જ્ઞાતીના હોય એક બીજાને ઓળખે છે અને તે રીતે ફરીયાદી અને આરોપીને મીત્રતાના સબંધ છે. ફરીયાદીએ તેઓનું મકાન પોતાની પત્નીની બીમારીની સારવાર માટે વેચાણ કરેલ હતું અને સારવારમાંથી બચેલ રૂપિયા 6 લાખ આરોપીએ પોતાના ધંધાના કામે તાત્કાલીક જરૂર પડતા મિત્રતાના નાતે હાથ ઉછીની આપ્યા હતા. અને જયારે ફરીયાદીને રૂપિયાની જરૂર હતી ત્યારે આરોપી પાસે રૂપિયાની માંગણી કરતા આરોપીએ તે પૈકી કુલ પાંચ ચેક અલગ અલગ તારીખના કુલ રકમ 6 લાખના આપેલ હતા જે ચેકો ફરીયાદી દ્વારા તેઓની બેંકમાં જમા કરાવતા બધા ચેકો વણચુકવ્યા પરત ફરતા ફરીયાદી મહમદ તાહીરભાઈ લાકડાવાલા દ્વારા આરોપીને નોટીશ આપવામાં આવી હતી છતાં આરોપીએ રકમ ચુકવણી કરેલ નહી જેથી ફરીયાદીએ આરોપી સામે ચેક રીર્ટનના બે ક્રિમીનલ કેસ કર્યા હતા આ બને કેસ કોર્ટમાં ચાલી ગયા હતા જેમાં આરોપીના વકીલ પી.વાય. સોલંકીએ કરેલ દલીલો અને રજુ કરેલા પુરાવાઓને ધ્યાને લઈને ફરિયાદીનું લેણું સમયમર્યાદા બહારનું હોઈ અને ફરિયાદી આરોપીને નાણા આપવા માટે નાણાકીય રીતે સક્ષમ ન હોઈ તે હકીકતોને ધ્યાને લઇ મોરબીના એડી.ચીફ.જયુડી.મેજી. જજ સી.વાય.જાડેજા સાહેબે આરોપી મતંઝા એમ. જોડિયાવાલાને બને કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મકવાનો હુકમ કરેલ છે.






Latest News