અજરામર સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય પરમ પૂજય ભાવચંદ્ર મુનિ મહારાજ સાહેબ મોરબી પધાર્યા હળવદના રાણેકપર ગામનો બનાવ: વાડીએ મજૂરને લાફા ઝીકિને ગાડી ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આર્યગ્રામ સોસાયટીમાંથી રસ્તો નીકળતો હોવા છતાં સનાતન ગ્રામ સોસાયટીના લોકોને જવા દેવાની ના કહેતા બખેડો મોરબીમાં મકાન અને દુકાનમાં જુદીજુદી જગ્યાએ આગ લાગતાં ફાયરની ટિમ દોડતી વાંકાનેર: આંણદપર-નવાગામ ખાતે 4.50 કરોડનાં ખર્ચે માઇનોર બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરતાં  ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો, શોરૂમમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું: પિસ્તોલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં વ્યાજે લીધેલ 65 હજાર સામે 50 હજાર વ્યાજ આપ્યું તો પણ વ્યાજ-મુદલની પઠાણી ઉઘરાણી: બે સામે ફરિયાદ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ રોણકી ગામે 21 કરોડનાં ખર્ચે બનનારા પાણીના સંપ- પાઈપલાઈનના કામનું કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ


SHARE













મોરબીની લીલપર ચોકડી પાસેથી પસાર થતી ઇનોવા ગાડીમાં લાગી આગ

મોરબીની લીલાપર ચોકડી પાસેથી મોડી સાંજના સમયે ઇનોવા ગાડી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર આગળ એન્જિનના ભાગ પાસે આગ લાગી હતી અને જોત જોતામાં આગ આખી ગાડીમાં પ્રસારી ગઈ હતી અને તે પહેલા કારમાં બેઠેલ વ્યક્તિ તાત્કાલિક કારમાંથી નીચે ઉતરી જતા કોઈ જાનહાનિ થયેલ નથી અને આ બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવેલ છે.

સામાન્ય રીતે સીએનજી ગેસ કીટ હોય તેવા વાહનોમાં અવારનવાર આગ લાગવાની દુર્ઘટનાઓ બનતી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે જોકે, ગુરુવારે મોડી સાંજે મોરબીને લીલાપર ચોકડી પાસેથી જ્યારે વાહન ચાલકો પોતાના વાહન લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી ઇનોવા ગાડીમાં કોઈ કારણોસર એન્જિનના ભાગમાં આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં આખી ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. જેથી કરીને ગાડીમાં બેઠેલા વ્યક્તિ નીચે ઉતારી ગયા હતા. અને આ બનાવની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થયેલ છે અને વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી પ્રમાણે જે ગાડીમાં આગ લાગી છે તેનો નંબર જીજે 36 એલ 9106 છે જોકે આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.




Latest News