મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના રણજીતગઢ પાસે કેનાલમાં પડી ગયેલ મોબાઈલ ફોન લેવા ગયેલ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબી નજીક બેભાન અવસ્થામાં યુવાનનું મોત


SHARE











હળવદના રણજીતગઢ પાસે કેનાલમાં પડી ગયેલ મોબાઈલ ફોન લેવા ગયેલ સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત: મોરબી નજીક બેભાન અવસ્થામાં યુવાનનું મોત

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે વાડીની બાજુમાં આવેલ નર્મદાની કેનાલના કાંઠે બેસીને સગીરા ફોન ઉપર વાત કરી રહી હતી દરમિયાન કોઈ પણ કારણોસર તેનો મોબાઈલ કેનાલમાં પડી ગયો હતો જેથી તે ફોનને લેવા માટે થઈને સગીરા કેનાલમાં ગઈ હતી અને ત્યારે પગ લપસી જવાના કારણે કેનાલમાં વહેતા પાણીમાં પડી જવાથી સગીરાનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું આ બનાવની હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં કાળુભાઈ મોહનભાઈ ચૌહાણની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા લિહકાભાઈ વસાવેની દીકરી રવિનાબેન વસાવે (16) રણજીતગઢ ગામે કાળુભાઈની વાડી પાસેથી પસાર થતી નર્મદાની કેનાલના કાંઠે બેસીને મોબાઈલ ફોન ઉપર વાત કરી રહી હતી દરમિયાન કોઈ કારણોસર તેના હાથમાં રહેલો મોબાઈલ ફોન કેનાલમાં પડી જતા તે ફોન લેવા માટે થઈને કેનાલમાં ગઈ હતી અને દરમિયાન તેનો પગ લપસી જતા સગીરા કેનાલના પાણીમાં પડી ગઈ હતી અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે આ ગીરાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બેભાન અવસ્થામાં મોત

મોરબી તાલુકાના ટિંબડી ગામે રહેતો અને મજૂરી કામ કરતો સંદીપભાઈ રામજીભાઈ ચાવડા (32) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈપણ કારણોસર તે બેભાન થઈ ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈ રમેશભાઈ રામજીભાઈ ચાવડા (35) રહે. ખોડીયાર નગર શેરી નં. છ રાજકોટ વળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News