મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો


SHARE











હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો

હળવદ શહેર ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનો દ્વારા પંડિતજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જી અમર રહો અને ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના સુત્રોચારના માધ્યમ થી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે વક્તાઓએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદઅને અંત્યોદયના વિચારોથી પ્રેરણા લઈ સમાજના અંતિમ માનવી સુધી વિકાસ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે પંડિતજીનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા, સાદગી અને નિષ્ઠાનું પ્રતિક હતું અને આજના સમયમાં પણ તેમના વિચારો માર્ગદર્શક છે. કાર્યક્રમમાં શહેર અને ગ્રામ્ય ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તથા સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં સૌએ રાષ્ટ્રસેવામાં વધુ સક્રિય રહેવાનો સંકલ્પ લીધો હતો.






Latest News