મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો


SHARE













વાંકાનેર ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

ચેમ્બર પ્રમુખ પ્રગ્નેશભાઈ પટેલનું સન્માન કરાયું 

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં ગઢની રાંગ પાસે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર સમિતિ દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહ (મોક્ષ કથા) માં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ અવસરે ઉપસ્થિત વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અને પાટીદાર સમાજ અગ્રણી તથા ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ વાંકાનેર) નું સન્માન કરવામાં આવ્યું હતું. 

વક્તા શાસ્ત્રી અનિલ પ્રસાદ જોષીનાં વ્યાસાસને ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં ભાવિકો ઉમટી રહ્યા છે, સપ્તાહમાં આવતાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, મસ્તક પર સૂંડલામાં બાળ કૃષ્ણને બેસાડી નંદબાવા કથા મંડપમાં પ્રવેશતા  કૃષ્ણ કનૈયા લાલ કી જય, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી નાં નાદ સાથે નંદલાલનાં વધામણાં કરવામાં આવ્યાં હતાં, બહોળી સંખ્યામાં ઊમટેલાં મહિલાઓ ભાવવિભોર બની રાસોત્સવ સાથે નંદલાલને વધાવ્યા હતાં, શાસ્ત્રી જીએ પ્રસાદની વર્ષા કરી હતી, જ્યારે આજરોજ (શનિવારે) ગિરિરાજજીને છપ્પન ભોગ ધરાશે તથા નગરજનો દ્વારા આરતી અને દીપ યજ્ઞ કરવામાં આવશે.






Latest News