ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની-બિઝનેસ ટાયકુન શરૂ


SHARE







મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની-બિઝનેસ ટાયકુન શરૂ

મોરબીના જેતપર ગામે આવેલ તપોવન વિદ્યાસંકુલમાં તા.૨૫ અને ૨૬ ના રોજ બે દિવસ માટે ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાયકુન એવોર્ડ -૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિને ખીલવવા માટે, વિદ્યાર્થીઓનું વૈશ્વિક જરુરીયાત મુજબ ઘડતર કરવા, વર્તમાન જરૂરિયાત મુજબની સ્કિલ વિકસાવવા, વેપારની કોઠાસૂઝ વિકસાવવા તેમજ ભારત દેશના વૈવિધ્ય પૂર્ણ ઐતિહાસિક સાંસ્કૃતિક વારસાના પુનરુથાન માટે તપોવન વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રદર્શની તથા બિઝનેસ ટાઇકૂન એવોર્ડ-૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તપોવન વિદ્યાસંકુલના પ્રમુખ જીતુભાઈ વડસોલા તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ સહિતના હાજર રહ્યા હતા તેમજ યુવા આર્મી ગ્રુપના પિયુષભાઈ બોપાલિયા તેમજ તેમની ટીમ હાજર રહી હતી આ ઉપરાંત પારુલ યુનિવર્સિટી વડોદરાની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેમજ કારકિર્દીનું માર્ગદર્શન બે દિવસ દરમિયાન આપવામાં આવશે. આ તકે ધો.૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ૧૮ સ્ટોલ ઉભા કર્યા છે અને પ્રથમ દિવસે જ ૧૭૦૦૦ જેટલા લોકોએ તપોવન વિદ્યા સંકુલની મુલાકાત લીધી હતી અને પ્રદર્શનના માધ્યમ થકી ભારતીય સંસ્કૃતિને વધુ સારી રીતે ઉજાગર કરી હતી તા.૨૬ ના રોજ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જીગ્નેશભાઈ કૈલા, અજયભાઈ લોરિયા, વિશાલભાઇ ઘોડાસરા વગેરે ત્યાં હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે અને કાર્યક્રમ નિહાળશે.






Latest News