મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતનાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર કટિબદ્ધ અને પ્રતિબદ્ધ: બ્રિજેશભાઇ મેરજા


SHARE













મોરબી સહિત ગુજરાતનાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર કટિબદ્ધ અને પ્રતિબદ્ધ: બ્રિજેશભાઇ મેરજા

મોરબીના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલ ખાતે આજે રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને તેના એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા તેની સાથોસાથ સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત જે લાભાર્થીઓને સહાય વિતરણ કરવાની હતી તેમને પણ સહાય આપવામાં આવી હતી અને આ તકે રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર લોકોની સુખાકારીમાં વધારો થાય અને વધુમાં વધુ સારી સુવિધા મળે તે પ્રકારની કામગીરી કરવા માટે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે

૨૫ ડિસેમ્બર દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેઈના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર હાલમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો આજે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાની હાજરીમાં સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોરબી શહેર વિસ્તારની અંદર બનાવવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને તેઓના એલોટમેન્ટ લેટરના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ સરકારની જુદી જુદી યોજનાઓ અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવાના થતા હોય તેઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા તેની સાથોસાથ ઇ-શ્રમિક કાર્ડ સહિતની યોજનાઓ છે તેનો લાભ પણ લાભાર્થીને મળે તેના માટેના કાર્ડનું વિતરણ પણ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું

ત્યારે લોકોને સંબોધન કરતાં રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાજણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકોનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે થઈને સતત વિકાસ લક્ષી કામગીરી કરવામાં આવતી હોય છે અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઇને સરકાર કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે તકે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સુરેશભાઇ દેસાઇ સહિતના પાલિકાના ચેરમેનો, પાલિકાના સભ્યો તેમજ ભાજપ સંગઠનના હોદેદારો, કલેક્ટર, ડીડીઓ  સહિતના અધિકારીઓએ અને કર્મચારી હાજર રહ્યા હતા






Latest News