મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા માનવ મંદિરના દાતાઓના સન્માન માટે સતશ્રીની કથાનું આયોજન


SHARE











મોરબીમાં ઉમિયા માનવ મંદિરના દાતાઓના સન્માન માટે સતશ્રીની કથાનું આયોજન

નિરાધાર વડીલો માટે ટંકારા તાલુકાનાં લજાઈ ખાતે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં ફાઈવસ્ટાર સુવિધા ધરાવતું ૧૦૦ રૂમનું માનવ માનવ મંદિર આશરે ત્રીસ વિઘાના કેપમ્સમાં આશરે દશ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે

જેમાં આધુનિક સુવિધાઓથી સુસજ્જ સુંદર બગીચા સાથે, કેમ્પસમાં જ ઓર્ગેનિક શાકભાજી વડીલો માટે ઉગાડવામાં આવશેવડીલો માટે વાંચન સામગ્રી ધરાવતું પુસ્તકાલયબાજુમાં આવેલી ડેમમાં બોટિંગ સુવિધા,વગેરે અતિ આધુનિકતા સાથેનું માનવ મંદિર એકાવન હજારથી માંડી એક લાખ,પાંચ લાખ,સાત લાખ,અગિયાર લાખ,પંદર લાખ,પચ્ચીસ લાખ,પચાસ લાખ,એક કરોડ અને સાડા ત્રણ કરોડની ધનરાશીનું દાન આ સેવાયજ્ઞમાં અર્પણ કરેલ છે આ તમામ દાતાઓનું વિશિષ્ટ, અવિસ્મરણીયઅકલ્પનિયઅદ્દભુત રીતે સન્માન કરવા માટે પટેલ સમાજવાડી શનાળા ખાતે તા. ૩/૩/૨૨ થી ૧૧/૩/૨૨ સુધી રાત્રે ૮:૦૦ વાગ્યાથી સતશ્રી સ્વામીની રામકથાનું આયોજન કરેલ છે.

આ રામકથાને સફળ બનાવવા અને દરરોજ દાતાઓનું સતશ્રી, અન્ય મહાનુભાવો તેમજ ઉમિયાધામ ઊંઝાસિદસરધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના દાતાઓ દ્વારા સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ તકે રાજકીય, ધાર્મિક અને સામાજિક હસ્તીઓને કથામાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને હાલમાં જુદી જુદી કમિટીની રચના માટેની ઉમિયા માનવ સેવા ટ્રષ્ટના તમામ કાર્યકર્તાઓની મિટીંગ રત્નકલા ખાતે બોલાવવામાં આવી હતી

જેમાં અનેક પાટીદાર ભામાશાઓ એકાવન હજારથી અગિયાર લાખના દાનની જાહેરાત કરી હતી આ કાર્યક્રમમાં પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, મંત્રી પી.એલ.ગોઠી, ઠાકરશીભાઈ ક્લોલા વગેરેએ હોદ્દેદારોએ પ્રેરક વક્તવ્યો રજૂ કરી ઉપસ્થિત સૌમાં જોમ અને જુસ્સો ભરી દીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા કેશુભાઈ સરડવાચંદુભાઈ કુંડારીયાએ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.






Latest News