મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત


SHARE







હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત

હળવદના ચરડવા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતી સગીરા મોડી રાત સુધી મોબાઈલ ફોન જોતી હતી જેથી તે સગીરાને તેના ભાઈએ મોબાઈલ ફોન જોવા બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતે સગીરાને લાગી આવતા તેણે પોતાની જાતે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે મોરબી સુધી લાવ્યા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે સગીરાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ચરડવા ગામે પંકજભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરીકામ કરતા પ્રતાપસિંગ નવલસિંહ ચૌહાણ (44)ની દીકરી સીમાબેન પ્રતાપસિંહ ચૌહાણ (17)તા. 5/4 ના રોજ વાડીએ હતી ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી તે સગીરાને ઝેરી અસર થઈ હોવાના કારણે પ્રથમ સારવાર માટે ચરડવા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી દરમિયાન તે સગીરાનુ મોત નીપજયું છે આ બનાવની મૃતક સગીરાના પિતા પ્રતાપસિંહ ચૌહાણએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક સગીરા મોડી રાત સુધી મોબાઈલ જોતી હતી તે બાબતે સગીરાને તેના ભાઈ પવને ઠપકો આપ્યો હતો જે બાબતે સગીરાને લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તે સગીરાનું મોત નિપજ્યું છે.

મારા મારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં તરુણ હિતેશભાઈ ચૌહાણ (20) રહે. મોચી શેરી મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News