મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો


SHARE











આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો

હળવદના મયાપુર ગામે આધેડની માલિકીની વાડીમાં આવીને છ જેટલા શખ્સોએ “આ ખેતર અમારું છે, ખાલી કરી દો” તેમ કહીને આધેડની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો તેમજ ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો જે બનાવમાં આધેડ સહિત બે વ્યક્તિઓને ઈજા થઈ હોય તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

હળવદના મયાપુર ગામે રહેતા બળદેવભાઈ ભૂદરભાઈ કંઝારીયા (50)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ ધરમશીભાઈ પટેલ, મુન્નાભાઈ ભરવાડ અને તેની સાથે આવેલા અજાણ્યા ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મયાપુર ગામની સીમમાં ફરિયાદીની ગામોટિયું નામની વાડી આવેલી છે અને તે વાડીએ આરોપીઓ આવ્યા હતા અને “આ ખેતર અમારું છે, ખાલી કરી દો” તેમ કહીને ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને દિલીપભાઈ તથા મુન્નાભાઈએ ફરિયાદી તથા તેના પત્ની રમીલાબેનને લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ અજાણ્યા ચાર શખ્સોએ બોલાચાલી કરીને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી કરીને ઈજા પામેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છેકે, ફરિયાદીની વડીલોપાર્જિત ખેતીની જમીન છે અને તેના પિતા ભૂદરભાઈ કંઝારીયાએ આ જમીને વેંચી નાખી હતી જે બાબતે હળવદની કોર્ટમાં હાલમાં પણ ફરિયાદીના પિતાની સામે જ કેસ ચાલી રહ્યો છે તેવામાં આરોપીઓ જમીનનો કબ્જો લેવા માટે આવ્યા હતા અને વર્ષોથી ખેતીની જમીનમાં વાવણી કરતાં આધેડ અને તેના પત્નીને મારમાર્યો હતો.

વરલી જુગાર

મોરબીમાં વરિયા મંદિર વાળી શેરીમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કલ્પેશભાઈ દિનેશભાઈ મજેઠીયા (26) રહે. સોઓરડી શેરી નં-6 વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 1,000 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો થયો છે






Latest News