મોરબીના લાતી પ્લોટના કારખાનામાં આગ લાગતા માલ સામાન બળીને ખાખ: મોટું નુકશાન
મોરબીના વોર્ડ નં. 9માં ભાજપના ઉમેદવારોને લોકસંપર્કમાં ઠેરઠેર આવકાર-આશીર્વાદ
SHARE
મોરબીના વોર્ડ નં. 9માં ભાજપના ઉમેદવારોને લોકસંપર્કમાં ઠેરઠેર આવકાર-આશીર્વાદ
મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે હાલમાં ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે વોર્ડ નં. 9 ના ભાજપના ઉમેદવારો દ્વારા મત વિસ્તારમાં વ્યાપક લોકસંપર્ક કરવામાં આવી રહ્યું છે. દમમ્યાન જુદાજુદા સોસાયટી વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા ઉમેદવારોને મીઠો આવકાર આપીને આગામી ચુંટણીમાં વિજય ભવ.. ના આશીર્વાદ પણ આપવામાં આવી રહ્યા છે

વોર્ડ નં 9 ના ભાજપના ઉમેદવારો ભગવતીબેન મહેશભાઇ (મુકેશભાઈ) કુંડારીયા, નૂતનબેન હરસુખભાઈ વિડજા તથા નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા દ્વારા જલારામ સોસાયટીથી ડોર ટુ ડોર પ્રચારનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને ગણેશનગર સહિતના વિસ્તારમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે ઉમેદવારોની સાથે ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા.

હાલમાં ભાજપના ઉમેદવારો દ્વારા લોકસંપર્ક યાત્રા દરમિયાન કૈલાશ સોસાયટી (શનાળા રોડ), આરાધના સોસાયટી, અંકુર સોસાયટી, અનુપમ સોસાયટી, આર્યનગર, અરિહંત સોસાયટી, વિજયનગર (નરસંગ મંદિર પાસે), રામવિજયનગર 1-2-3, અમિત પાર્ક અને નીલકંઠ પાર્ક જેવા વિસ્તારોમાં ઉમેદવારોએ ઘરઘર જઈ લોકો સાથે સીધી મુલાકાત કરી હતી. આ દરમિયાન ઉમેદવારોએ સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળી અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી

આ જનસંપર્ક દરમ્યાન મતદાતાઓએ પણ ભાજપના ઉમેદવારોને સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને ભાજપને સમર્થન આપવાનો વિશ્વાસ સહુ કોઈએ વ્યક્ત કર્યો હતો. લોકસંપર્ક અભિયાનમાં કાર્યકર્તાઓએ ‘ભારત માતાની જય’ અને ‘વંદે માતરમ્’ જેવા દેશભક્તિના નારા લગાવી સમગ્ર વાતાવરણને ઉર્જાવાન બનાવ્યું હતું. આ રીતે વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ લોકસંપર્ક અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે
