મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ


SHARE









મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ

લેન્સકાર્ટના માલિક દ્વારા હિન્દુ વિરોધી માનસિકતા જેવો પરિપત્ર કરવામાં આવેલ છે તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના આગેવાનો રવાપર રોડ પર આવેલ લેન્સકાર્ટના શોરૂમ પર પહોચ્યા હતા અને ત્યાં હિન્દુ કર્મચારીઓને તિલક કરીને સમગ્ર લેન્સકાર્ટનો વિરોધ કર્યો હતો.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો હાલમાં જે લેન્સકાર્ટના માલિક પિયુષ બંસલ દ્વારા કંપની રુલરેગયુંલેશન પરિપત્ર રાખવામા આવેલ છે તેમાં લખ્યું છે કે, શો-રૂમ ઉપર હિન્દુ કર્મચારીઓને તિલક ન કરવું, શિખા ન રાખવી, હાથમાં કલાવા ન બાંધવા અને સ્ત્રીઓને બિન્દી ન લગાડવી તેમજ મુસ્લિમ કર્મચારી હિજાબ પહેરી શકે આવી હિન્દુ વિરોધી માનસિકતાના લીધે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઠેરઠેર તેનો ઉગ્ર વિરોધ કરીને હિન્દુ સમાજને જાગૃત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આવા નિર્ણયને ભારતનો હિન્દુ સમાજ કોઈપણ પ્રકારે સાંખી લેશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. અને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના આગેવાનો સોમવારે સાંજે 7 કલાકે મોરબીના રવાપર રોડ પર આવેલ લેન્સકાર્ટના શોરૂમ પર પહોચ્યા હતા અને ત્યાં હિન્દુ કર્મચારીઓને તિલક કરીને સમગ્ર લેન્સકાર્ટનો વિરોધ કર્યો હતો આ તકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને કમલેશભાઈ બોરિચાએ મોરબી સહિત દેશના લોકોને અપીલ કરતાં કહ્યું  હતું કે, એક હિન્દુ યોદ્ધ તરીકે કોઈએ પણ લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેન્સની ખરીદી કરવી જોઈએ તેવી અપીલ કરી હતી.






Latest News