મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના લુટાવદર પાસે રોજડૂ આડુ આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE















મોરબીના લુટાવદર પાસે રોજડૂ આડુ આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લુંટાવદર ગામના પટીયાથી આગળ જી.ઇ.બી. ની ઓફીસ પાસેથી યુવાન તેનું બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઇકને આડે રોજડૂ આવતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે ખસેડાયો હતો જો કે, સારવાર દરમ્યાન આ યુવાનનું મોત નીપજયું હતું જેથી પોલીસે મૃતકના મોટા ભાઈની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હાજયાળી ગામે રહેતા અશ્વિનભાઈ ભવાનભાઈ લોરીયા (ઉ.વ .૪૨) નામનો યુવાન પોતાનું બાઇક જીજે એફએન ૦૨૬૫ લઈને લુટાવદર ગામના પટીયાથી આગળ જી.ઇ.બી. ની ઓફીસ પાસેથી પસાર થઈ રહયો હતો ત્યારે રસ્તામાં વચ્ચે રોજડૂ આવતા તેની સાથે બાઇક અથડાયું હતું અને અકસ્માત સર્જાયો હતો જેથી અશ્વિનભાઈ ભવાનભાઈ લોરીયાને તાત્કાલિક સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જયાં ટુંકી સારવારમાં તેઓનું મૃત્યુ નીપજયું હતું જે બનાવમાં હાલમાં પોલીસે હજનાળી ગામે રહેતા મૃતકના મોટાભાઇ પ્રવીણભાઇ ભવાનભાઇ લોરીયા જાતે પટેલ (ઉ.૪૬)ની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસેથી બાઇક લઈને પસાર થઈ રહેલા યુવાનનું રંગપર ગામના ઝાંપા પાસે બાઇક સ્લીપ થઇ ગયું હતું જેથી કરીને રવિ ઘોઘાભાઈ નૈયા (ઉંમર ૨૭) નામના યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી તો હળવદના રહેવાસી ઈમરાનભાઈ જાવેદભાઈ કલાડિયા (ઉંમર ૨૯) ભુજ હાઇવે ઉપર રામદેવપીર મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી કરીને પ્રાથમિક સારવાર લીધા બાદ હાલમાં તેઓને મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે જેની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News