વાંકાનેરના માટેલ રોડ ઉપર બાઈકમાંથી નીચે પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતા ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત: હળવદમાં અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા (મિં) ના ખીરસરા ગામે તલાવડીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત


SHARE





મોરબી : માળીયા (મિં) ના ખીરસરા ગામે તલાવડીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકાના ખીરસરા ગામે તલાવડીમાં નાહવા ગયેલા વૃદ્ધનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજેલ છે.બનાવને પગલે ડેડબોડીને મોરબી સિવિલ ખાતે લાવવામાં આવ્યુ હતુ.બનાવની જાણ થતા મોરબી પોલીસે માળિયા પોલીસને આગળની તપાસ અર્થે જાણ કરી હતી.

વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે માળિયાના ખીરસરા ગામે રહેતા મનાભાઈ વાઘાભાઈ દેવીપુજક નામના ૬૦ વર્ષના વૃદ્ધ લાતડા કાપવા માટે ગયા હતા અને બાદ નાહવા માટે ત્યાં આવેલી તલાવડીમાં ગયા હતા.ત્યાં પાણીમાં ડૂબી ગયા હોય તેમનું મોત થયુ હતુ.બનાવની જાણ થતાં માળિયા પોલીસ મથકના કલ્પેશભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવેલ છે.

ચાકૂથી હુમલો: બે ભાઈ ઈજાગ્રસ્ત

મોરબીના વિસીપરામાં અમરેલી રોડ વિસ્તારમાં આવેલા ગુલાબનગર પાસે રહેતા મહેશભાઈ મથુરભાઈ મેસરીયા અને તેમના ભાઈ જગમાલ મથુરભાઈ મેસરીયા ઉપર ચાકૂ તેમજ નળીયા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.જૂની  અદાવતમાં અજાણ્યા ઈસમોએ બંને ભાઈઓ ઉપર હુમલો કર્યો હતો.હુમલામાં બંનેને ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં મોરબી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સતિષભાઇ ગળચરે તપાસ હાથ ધરી છે.પોલીસે નોંધ કરીને હુમલાખોરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

વાહન અકસ્માત

ટંકારાના કલ્યાણપર ગામના પાટીયા પાસે કાર અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં કાર સાથે કાર અથડાતા ઇજા પામેલા રમેશભાઈ ભગવાનજીભાઈ વાઘેલા (૫૦) રહે.લાયન્સનગર શનાડા રોડ મોરબીને ઇજાઓ થયેલ હોવાથી અહિંમી ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના બી.બી.ડાભી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના નવા બસ સ્ટેશન પાસે બાઇક ચાલકે હડફેટે લેતા સંગીતાબેન ભુદરભાઈ જેતપરિયા (૬૩) રહે.ઉમિયાનગર શેરી નંબર-૩ ને ઇજાઓ પહોંચી હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવની જાણ થતા સ્ટાફના એસ.કે.બાલાસરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.




Latest News