મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ફિનાઇલ સાથે કંઇક પી ગયેલ મહિલા રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીના રવાપર ગામે ફિનાઇલ સાથે કંઇક પી ગયેલ મહિલા રાજકોટ ખસેડાયા

મોરબીના રવાપર ગામે લીલાપર રોડ ઉપર આવેલ એન્ટીલા હાઈટ ખાતે રહેતા જ્યોતિબેન નંદલાલભાઈ ભાલોડીયા નામના ૫૯ વર્ષના આધેડ મહિલા કોઈ કારણોસર ફીનાઇલ તથા કોઇ અન્ય પદાર્થ પી ગયા હતા.જેથી કરીને તેઓને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસસુત્રોએ જણાવેલ છે.બનાવની જાણ થતા સ્ટાફના બી.બી.ડાભી દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના ચાંચાપર ગામે વાડીએ કામ દરમિયાન વિંછી કરડી જતા પુષ્પાબેન કનુભાઈ પીઠવા નામની ૧૮ વર્ષીય યુવતીને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.

એસએમસીની ટીમને નાસ્તો ફરતો પકડ્યો

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે વર્ષ ૨૦૨૪ માં નોંધાયેલ ગુનામાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ફરાર આરોપી પ્રવીણ તિલસિડગ ગુપ્તા (૪૯) રહે.પ્લોટ નંબર-૨૬ નીલકંઠ હોમ્સ કંડલા એરપોર્ટ પાસે વર્ષામેડી અંજાર કચ્છને પકડી પાડવામાં આવ્યો હતો.તે ઘણા સમયથી નાસ્તો ફરતો હતો.

માર મારતા ઈજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સેનેટરીના કારખાના લેબર ક્વાટરમાં રહેતા અરવિંદભાઈ નરભેરામભાઈ રામાવત નામના ૪૫ વર્ષના યપવાનને અન્ય માણસે લેબર કવાટર પાસે માર માર્યો હતો.જેથી ઈજાગ્રસ્ત અરવિંદભાઈને શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અરવિંદભાઈ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. બનાવને પગલે તાલુકા પોલીસના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

લાલપર અકસ્માત

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સંતકૃપા હોટલની સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં દાનાભાઈ મગનભાઈ (૫૬) રહે.ખોડીયારનગર બોટાદ ને ઇજાએ થતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના લજાઇ ગામે રહેતા પરિવારની પૂનમ ધારાભાઈ ડાભી નામની સાત વર્ષની બાળકીને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવી હતી.તેમ પોલીસે જણાવેલ છે.






Latest News