મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો
મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત
SHARE
મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત
મોરબી તાલુકાના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેનું મોત નીપજયું હતું જ્યારે ટંકારાના ધ્રુવનગર ગામે રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું જે બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી
મૂળ જામનગર જિલ્લાના દળીયાના રહેવાસી અને મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલા કમોયા આરતીબેન વિરમભાઈ (31) નામની મહિલાએ ગઈકાલે સાંજે આઠ થી નવ વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા શંકરભાઈ પોલાભાઈ રાણા (36) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈ ગિરધરભાઈ પોલાભાઈ રાણા (45) રહે. ધ્રુવનગર વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે