મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ


SHARE













મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ

મોરબીમાં હોટલના ધંધાથીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હતો જેથી કરીને મૃતક વેપારીના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 7 શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર વાળી શેરીમાં તિરૂપતિ સોસાયટી ખાતે રહેતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયા (50) એ ધંધાની જરૂરિયાત માટે ઇમરાન માડકીયા પાસેથી 12.50 લાખ રૂપિયા 4 ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે આરોપીને 50 લાખ જેટલું વ્યાજ ચૂકવેલ હતું તો પણ તેના મકાનનો સોદાખત કરી ઓરીજનલ દસ્તાવેજ તેણે લઈ લીધેલ હતો અને આવી જ રીતે અજય ભટ્ટ, ગિરિરાજસિંહ ગોહિલ, ભરત રબારી, અજીતભાઈ રાઠોડ, વિપુલ રાઠોડ અને કિસન રબારી પાસેથી પણ વ્યાજે રૂપિયા લીધા હતા આમ અલગ અલગ વ્યક્તિ પાસેથી કુલ મળીને 70 લાખ કરતાં વધુ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે અનેક ગણું વ્યાજ ચૂકવી દીધું હતુ છતાં પણ આરોપીઓ દ્વારા તેની પાસેથી મોબાઈલ ફોન, મકાનનો દસ્તાવેજ કોરા  ચેક અને નોટરીના લખાણ કરાવી લેવામાં આવ્યા હતા જેથી કંટાળીને આધેડે આપઘાત કર્યો હતો. આ બનાવ સંદર્ભે ડીવાયએસપી જે.એમ.આલની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને જેમાં તેને જણાવ્યુ હતું કે, મૃતક આધેડના દીકરા નીરવભાઈ અશ્વિનભાઈ બોપલિયાએ ઇમરાન ગુલામભાઈ માડકિયા, અજય ભટ્ટ, ગીરીરાજસિંહ ગોહિલ, ભરત રબારી, અજીતભાઈ જેસંગભાઈ રાઠોડ, વિપુલ જેસંગભાઈ રાઠોડ અને કિશનભાઇ રબારી સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે આરોપી કિશનભાઇ મનુભાઈ રાઠોડ (21) રહે. મકનસર, લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ અણંદાભાઇ રાઠોડ (34) રહે. થોરાળા અને ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ (31) રહે. રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે વધુમાં તપાસનીસ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ પકડાયેલ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.






Latest News