મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત


SHARE













મોરબી જિલ્લાના પેન્શનરોહયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત

રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત થયેલા અને મોરબી જિલ્લાની જુદી જુદી જિલ્લા અથવા પેટા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા પેન્શનરો માટે જિલ્લા તિજોરી કચેરી દ્વારા મહત્વની સૂચના જારી કરવામાં આવી છે. જે મુજબ, દરેક પેન્શનરોએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મે થી જુલાઈ માસ દરમિયાન પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે.

હયાતીની ખરાઈ (૧) પોસ્ટ વિભાગ દ્વારા: ગુજરાત સરકારના નાણા વિભાગ અને પોસ્ટ વિભાગ વચ્ચે થયેલા એમ.ઓ.યુ. (MoU) મુજબ, પોસ્ટ વિભાગના કર્મચારીઓ પેન્શનરોના ઘરે જઈ જીવન પ્રમાણપત્રએપ્લિકેશન મારફત ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી આપશે. (૨) બેંક દ્વારા: પેન્શનરો પોતાની સંબંધિત બેંકમાં રૂબરૂ જઈને પણ હયાતીની ખરાઈ કરાવી શકશે. (૩) ઓનલાઈન માધ્યમ: પેન્શનરો પોતે પણ ‘Online JeevanPraman’ એપ દ્વારા હયાતીની ખરાઈ કરી શકશે. હયાતીની ખરાઈ માટેની આ તમામ સેવાઓ પેન્શનરો માટે તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવી છે. મોરબી જિલ્લાના તમામ પેન્શનરોએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે સમયસર ઉપરોક્ત કોઈપણ એક માધ્યમથી હયાતીની ખરાઈ કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૫-૨૬ ના પેન્શન પેમેન્ટ સર્ટિફિકેટ (PPC) સંબંધિત બેંકોમાં મોકલી આપવામાં આવ્યા છે, જે તે પેન્શનરોએ પોતાની બેંકમાંથી મેળવી લેવાના રહેશે તેમ જિલ્લા તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News