મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે


SHARE













મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે

સરકારના મોટર વાહન ખાતાના આદેશાનુસાર, વાહન માલિકોને પસંદગીના નંબરો ફાળવવાની પ્રક્રિયાને વધુ સરળ, નિષ્પક્ષ અને પારદર્શક બનાવવા માટે મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ સીરીઝના બાકી રહેલા નંબરો માટે ઓનલાઈન હરાજી (e-Auction) નું આયોજન કરવામાં આવ્યું છે. ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોની જૂની સીરીઝના ગોલ્ડન અને સિલ્વર કેટેગરીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકો આ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

ટુ-વ્હીલર માટે GJ36BC, BA, AS, AQ, AN, AM, ફોર-વ્હીલર માટે GJ36BB, AR, AL, AP, AJ અને ટ્રાન્સપોર્ટ વાહનો: GJ36V, GJ36X સિરીઝના નંબર મેળવવા તા. ૦૫/૦૫/૨૦૨૬ થી તા. ૦૭/૦૫/૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી અને પાયાની રકમ ભરી શકાશે. ઓનલાઈન બિડિંગ (હરાજી) નો સમય: તા. ૦૭/૦૫/૨૦૨૬ થી તા. ૦૯/૦૫/૨૦૨૬ સુધીનો રહેશે. ઇચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/fancy/ પોર્ટલ પર જઈ 'પબ્લિક યુઝર' તરીકે નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ લોગિન કરી CNA (Choice Number Application) ફોર્મ ભરી યુનિક નંબર જનરેટ કરવાનો રહેશે. નોંધનીય છે કે, CNA ફોર્મ વાહન ખરીદી અથવા વીમાની તારીખ (જે વહેલું હોય તે) થી ૭ દિવસની અંદર અને વાહનનો ટેક્સ ભર્યા બાદ જ ભરી શકાશે. હરાજીમાં સફળ થયેલા ઉમેદવારોએ બાકી રહેતી તફાવતની રકમ પાંચ દિવસમાં ઓનલાઈન ભરવાની રહેશે, અન્યથા તેમને ડિસ-ક્વોલિફાય કરવામાં આવશે. હરાજીમાં અસફળ રહેલા અરજદારોની રકમ ૫ થી ૭ દિવસમાં તેમના બેંક ખાતામાં ઓનલાઈન પરત જમા કરી દેવામાં આવશે. સફળ ઉમેદવારોએ પેમેન્ટની પહોંચ અને એલોટમેન્ટ પત્ર મેળવી આર.ટી.ઓ. કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે તેમ મોરબી પ્રાદેશિક પરિવહન અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News