હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાની કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેરના વિનયગઢ ગામે રહેતો યુવાન પોતાની વાડી હતો ત્યારે કોઈપણ કારણોસર તેને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા વજુભાઈ રણછોડભાઈ રાઠોડનો 18 વર્ષનો દીકરો દેવરાજભાઈ વજુભાઈ રાઠોડ પોતે પોતાની વાડીએ હતો ત્યારે ગત તા. 21/4 ના રોજ સવારે 10:00 વાગ્યાના અરસામાં તેણે કોઈપણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ તેને બોટાદ અને રાજકોટ સુધી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા વજુભાઈ રાઠોડ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડ સારવારમાં

માળીયા તાલુકાના જસાપર ગામે રહેતા પાલાભાઈ કાથડભાઇ રબારી (54) નામના આધેડ ઘરે હતા ત્યારે ગાય ભડકતા તેઓને પાડી દીધા હતા અને તેની પીઠ ઉપરથી ગાય ચાલી જતા તેઓને ઇજા થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના સોખડા ગામે રહેતા કરણભાઈ રમેશભાઈ થરેસા (24) નામનો યુવાન મોરબીથી વિરેન્દ્રગઢ તરફ જતો હતો દરમિયાન ત્યાં રસ્તામાં તેના બાઈકની આડે આખલો આવવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ડાબા પગના ઘુટણમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News