મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી


SHARE







વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પાડોશમાં રહેતા બે સગા ભાઈના ઘરની વચ્ચે દિવાલ આવેલ છે તેમાં પાણી આવવા બાબતે બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો હતો ત્યારબાદ બંને પક્ષેથી મારામારી પણ કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે બંને પક્ષેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના નવાપરા જીઆઇડીસી પાસે દેવીપુજક વાસમાં રહેતા દિનેશભાઈ કેશુભાઈ ભોજવીયા (27)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કંચનબેન ઝવેરભાઈ ભોજવિયા, ઝવેરભાઈ રાયસીંગભાઇ ભોજવીયા, જયંતી રાયસીંગભાઇ ભોજવીયા, આકાશ જયંતીભાઈ ભોજવીયા અને અજય ઝવેરભાઈ ભોજવીયા રહે. વાકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના ઘરમાંથી બાજુમાં રહેતા તેના કાકા ઝવેરભાઈના ઘરની દિવાલમાં પાણી ઉતરતું હતું જે બાબતે આરોપીઓને સારું નહીં લાગતા કંચનબેને જ્યોતિબેનને વાળ પકડીને પછાડી દીધા હતા અને ફરિયાદી તથા સાહેબ જ્યોતિબેનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઝવેરભાઈએ ફરિયાદીને લાકડાના ધોકા વડે મારમારીને ઇજા કરી હતી જ્યારે બાકીના ત્રણેય આરોપીઓએ સાહેદ રાજેશને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી વાંકાનેર નવાપરા દેવીપુજક વાસ પાસે રહેતા ઝવેરભાઈ રાયસીંગભાઇ ભોજવીયા (45)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જ્યોતિબેન રાજેશભાઈ ભોજવિયા, દિનેશ કેશુભાઈ ભોજવીયા, કેશુભાઈ રાયસીંગભાઇ ભોજવીયા, રાજેશ કેશુભાઈ ભોજવીયા અને રોહિત કેશુભાઈ ભોજવીયા રહે. બધા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીની બાજુમાં રહેતા તેના ભાઈ કેશુભાઈના ઘરમાંથી તેઓની દીવાલમાં પાણી આવતું હતું જેથી કરીને પાણી ન આવે તે માટે ત્યાં સમારકામ કરાવવા માટે કહ્યું હતું જે આરોપીઓને સારું નહીં લાગતા જ્યોતિબેન અને દિનેશભાઈએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જ્યારે અન્ય ત્રણ આરોપીઓએ ભેગા મળી ઈંટના કટકાના છૂટા ઘા કરીને ફરિયાદી તથા સાહેદ મેહુલને મૂઢ ઇજા કરી હતી તેમજ પૂજાબેનને ઇંટનો છૂટો ઘા મારીને હાથની કોણી પાસે ઇજા કરી હતી તેમજ સંજયને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News