મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન


SHARE







મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન

મોરબી સમસ્ત જીલ્લા બ્રહ્મ સમાજ માટે ૭૫ વર્ષના વિધવા કે વિધુર અથવા તો જેમના લગ્ન જીવનને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે તેવા વડીલોનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લાના મોરબી, હળવદ, વાંકાનેર, ટંકાર અને માળીયાના તમામ બ્રહ્મ સમાજના બ્રહ્મ બુંધુ જે વિધવા કે વિધુર છે અને તેની ઉમર ૭૫ વર્ષ તા.૧-૪-૨૬ સુધીમાં થયેલ છે અને ૫૦ વર્ષનું લગ્નનુ જીવન પૂર્ણ થયેલ છે તેવા દંપતીના સન્માન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે આધાર કાર્ડ સાથે સંસ્થાના પ્રમુખ બી.કે. લહેરૂ  (૯૯૧૩૨ ૨૨૨૮૩), ડો. રાજુભાઈ ભટ્ટ (૭૬૦૦૦૦૬૭૨૦), ભુપતભાઈ પંડયા (૯૮૨૫૬૭૧૬૯૮), અજયભાઈ રાવલ (૯૯૭૮૪ ૮૯લ્પરપ), આર.કે. ભટ્ટ (૯૯૦૯૯ ૫૮૧૮૮), લહેરૂભાઈ વાંકાનેર (૯૪૨૮૨ ૮૧૧૧૭), ટંકારા (૯૯૦૯૯ ૧૬૦૩૮) અને એન.એન. ભટ્ટ (૯૮૨૫૭ ૫૬૦૩૯)નો સંપર્ક કરવા માટે ડો. બી.કે. લહેરૂએ જણાવ્યુ છે,






Latest News