મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા


SHARE













મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા

મોરબીમાં ૨વા૫૨થી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો કે, છેલ્લા બે મહિનાથી કામ બંધ છે જેથી કરીને લોકો સિંગલ પટ્ટી રોડથી ત્રાહિમામ પોકારી ગયા છે માટે મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપીને તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરવામાં આવેલ છે અને જો 15 દિવસમાં કોઈ કામ નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય લલિતભાઈ કાસુન્દ્રા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ૨વા૫૨થી ઘુનડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જો કે, છેલ્લા ઘણા સમયથી કામ બંધ પડ્યું છે જેથી કરીને ધૂળની ડમરી, ટ્રાફિક સહિતના પ્રશનોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે કેમ કે, છેલ્લા 2 મહિનાથી ઈન્દ્રપ્રસ્થ પાર્ટીપ્લોટથી વૈદેહી પ્લાઝા સુધી રોડની એક સાઈડ ખોદીને મૂકવામાં આવેલ છે જો કે, કામ કરવામાં આવી રહ્યું નથી અને સિંગલ પટ્ટીના રોડ ઉપર બંને બાજુથી સામે સામે વાહનો આવી જાય છે જેથી કરીને કલાકો સુધી ત્યાં ટ્રાફિકજામ થાય છે અને ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સહિતના લોકોને ભારે હેરાંગતિનો સામનો કરવો પડે છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, મોરબીમાં મનપાના કમિશનર દર બુધવારે નાના ગરીબ લોકોના ઝૂંપડા તોડીને ડિમોલેશન કરે છે પરંતુ રવાપર રોડનું કામ અટકેલું છે તે કેમ ધ્યાને લેતા નથી અને આ કામ પૂરુ થાય તેની લોકો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. જેથી હાલમાં કલેક્ટરને રજૂઆત કરવામાં આવેલ છે જો કે, આગામી 15 દિવસમાં કોઈ પગલાં લેવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કેનાલ ચોકડીએ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી લલિતભાઈ કાસુન્દ્રાએ ચીમકી ઉચ્ચારી છે.






Latest News