મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ


SHARE







મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ

મોરબીના વોર્ડ નં 2 વીસીપરા વિસ્તારમાં વારંવાર પાણી કાપ મુકવામાં આવે છે જેથી સ્થાનિક લોકોને ભારે હેરાન થવું પડે છે જેથી મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવે છે અને નિયમિત રીતે અને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે અને જો તેઓની માંગણીને ધ્યાને લઈને કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગમી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મહાપાલિકાના કમિશનરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વીસીપરા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાણી કાપ મૂકવામાં આવેલ છે. જેની સ્થાનિક લોકો દ્વારા તેઓને ફરીયાદ કરવામાં આવી રહી છે. અને લોકોને કહેવા મુજબ જે પાણીની સપ્લાઇ કરવામાં આવે છે તેમાં પૂરા પ્રેસરથી પાણી આવતું નથી જેથી લોકોને પૂરતું પાણી મળતું નથી અને ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને પાણી મળતું નથી. અને પાણી આવે છે તેનો કોઈ સમય નિશ્ચિત નથી. જેથી ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખાસ કરીને તાજેતરમાં મહાપાલિકાની ચુટણી પૂરી થઇ છે ત્યાર આ વિસ્તાર સાથે ભેદભાવની નીતિ રાખીને પાણી સપ્લાય જાણી જોઈને કરવામાં આવે છે કે કેમ તે અંગેની પણ તપાસ કરીને પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. અને જો કોંગ્રેસની માંગને ધ્યાને લઈને કામ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News