મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત


SHARE







મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર આવેલા રામકૃષ્ણનગર પાસેની કુળદેવી પાન નામની દુકાન નજીકથી ગત તા.૨૩-૫ ના બીમારી સબબ મનસુખભાઈ નામના ૭૫ વર્ષના વૃદ્ધને ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જો કે અત્રેની સિવિલે આજે તા.૨૬-૫ ના સવારે આઠેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મનસુખભાઈ નામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. મૃતક વૃદ્ધ ક્યાંના છે ? અને વાલીવારસ કોણ છે ? તે સહિતની બાબતો માટે હાલ બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા આગળ તપાસ શરૂ કરવામાં આવી છે.

કાંતિનગરમાં મારામારી

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેના કાંતિનગર વિસ્તારમાં રહેતા સલમાબેન બિલાલભાઈ મુલ્લા નામના ૪૦ વર્ષના મહિલાને તથા સામે પક્ષેથી આયસાબેન ગનીભાઈ નોલેખ (૨૮) નામના બે મહિલાઓને મારામારીમાં ઈજા થઈ હોય સારવારમાં લવાયા હતા.સલમાબેનને આઠ માસની પ્રેગ્નન્સી હોય તેમને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે આયસાબેનને કપાળના ભાગે ઇંટ લાગેલી હોય તેમને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. તેમજ મોરબીના સામાકાંઠે ત્રાજપર પાસે રહેતા મુકેશભાઈ મોહનભાઈ સીતાપરા નામના ૩૪ વર્ષના યુવાનને ટીંબડીના પાટિયા પાસે નયારાના પંપ નજીક પગપાળા જતા વખતે ટ્રક ચાલાકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબી લીલાપર ચોકડી પાસે રહેતા અંકિત રામનાથભાઈ કટારા નામના ૨૪ વર્ષના યુવાનને ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના હળવદ રોડ ઘુંટુ ગામે આઈ.ટી.આઈ. પાસે થયેલ મારામારીના બનાવમાં ત્યાં રહેતા દેવકુમાર ચેતનભાઇ સોરીયા નામના ૨૪ વર્ષના યુવાનને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના જીવાપર ગામે રહેતા મંગળાબેન હિતેશભાઈ નકુમ નામના ૪૦ વર્ષીય મહિલાને બગથળા ગામેથી જીવાપર જતા વખતે રિક્ષામાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લવાયા હતા.જ્યારે ટંકારા તાલુકાના સજનપર ગામે વાડી વિસ્તારમાં થયેલ મારામારીમાં ઈજા પામેલ વાલજીભાઈ દેવાભાઈ ધોળકિયા નામના ૭૦ વર્ષના વૃદ્ધને પણ સારવાર માટે મોરબી સિવિલે ખસેડાયા હતા.જ્યારે વાંકાનેરના દલડી ગામે પેટ્રોલ પંપ નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ ગોરધનભાઈ માવજીભાઈ સાપરા (ઉમર ૫૨) રહે. કાસીયાગાળા તા.વાંકાનેરને ઇજાઓ થતા વાંકાનેર બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલે લવાયા હતા.તેમજ વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે રહેતા અજયભાઈ કાળુભાઈ મેરીયા નામના ૨૦ વર્ષના યુવાનને પણ મારામારીમાં ઈજા થયેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News