મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં


SHARE











મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં

મોરબી-વાંકાનેર હાઈવે ઉપરના મકનસર ગામે સિરામિક યુનીટ પાસે રહીને મજુરીકામ કરતા અલીસાબેન સમીરભાઈ પ્રધાન નામની 22 વર્ષીય મહિલા એસીડ પી જતા સારવાર માટે મોરબી લવાયા હતા. તેણીને તેના પતિ સાથે ઝગડો થયા બાદ મનોમન લાગી આવતા ઉપરોકત પગલુ ભરી લીધુ હતું. 

તાલુકા પોલીસને જાણ થતા પીએસઆઈ ડી.ડી. જોગેલાએ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.  જયારે વાંકાનેરના વરડુસર ગામે રહેતા પ્રેમીબેન જીવણભાઈ સેવરીયા (60) નામના વૃધ્ધાએ અગમ્ય કારણોસર તેમની વાડીએ દવા પી લેતા તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

ફિનાઈલ
 મોરબી વીસીપરા ચાર ગોડાઉન પાસે રહેતા કોમલબેન દિનેશભાઈ કુંઢીયા (23)એ કોઈ કારણસર ફીનાઈલ પી લેતા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે ઘુંટુ રોડ સીરામીક યુનીટના લેબર કવાટરમાં રહી મજુરી કરતા પરીવારની શાંપ્રિ સંજયભાઈ પરમાર નામની બે વર્ષની બાળકી રમતા રમતા ભુલથી કેરોસીન પી જતા તેણીને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી. તેમજ માળીયા હાઈવે ભરતનગર પાસેના સોમાણી સિરામીક પાસે રહેતા સુમિત્રાબેન ગોવિંદભાઈ વિશ્વકર્મા (25) નામની મહીલાને મારામારીમાં ઈજા થતા દવાખાને સારવાર માટે ખસેડાયા હતા.

યુવાન સારવારમાં
 મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન રોડ ઉપરના વેલેન્ઝે સીરામીક નજીક રહી મજુરી કરતા પ્રકાશભાઈ ગગજીભાઈ દેવીપૂજક નામના યુવાનને ત્યાં મારામારીમાં કાન કપાઈ જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. 

જયારે બંધુનગર ગામે મારામારીના બનાવમાં અશોક સીયારામ બીશ્નોઈ (25) નામના યુવાનને સિવિલે સારવાર માટે લવાયો હતો. તેમજ ત્રાજપર ખાતે રહેતો કલ્પેશ પ્રવીણભાઈ વરાણીયા (25) નામનો યુવાન ઘરે ફીનાઈલ પી જતા સારવારમાં ખસેડાયો હતો.

 જયારે મોરબી મહેન્દ્રનગર ગામે આઈટીઆઈ સામે ઝુંપડામાં રહેતો મોહનકુમાર નામનો ચાલીસ વર્ષનો યુવાન કામ દરમ્યાન ઉંચાઈએથી પડી જતા અત્રેની સિવિલેથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.






Latest News