હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં અકસ્માતના જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત: એક યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત


SHARE





મોરબી તાલુકામાં અકસ્માતના જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત: એક યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત

મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામે યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જ્યારે રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં તથા રવિરાજ ચોકડી નજીક આવેલ કારખાનામાં જુદી જુદી બે જગ્યાએ અકસ્માતના બે બનાવ બન્યા હતા અને આ બે બનાવમાં બે યુવાનોના મોત નિપજ્યા છે આમ ત્રણેય અપમૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના ઉટબેટ (સામપર) ગામે રહેતા ચિરાગભાઈ ભીખાભાઈ રતનાણી (34) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં ત્રાજપર ચોકડી ગોકુલ પાર્ક ખાતે રહેતા ધીરજભાઈ મોતીલાલ માલવી (37) નામનો યુવાન રંગપર ગામની સીમમાં આવેલ સોલેન્ટો સીરામીક કારખાનામાં કામ કરતા સમયે 30 ફૂટની ઊંચાઈએ પતરાં ઉપરથી નીચે પટકાતા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું.ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની કલ્પેશભાઈ નરભેરામભાઇ (32) રહે.ગાળા તા.મોરબી એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ઉત્તર પ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબીના બાયપાસ રોડ ઉપર રવિરાજ ચોકડી પાસે આવેલ એ.જે. માઇક્રોન પ્રા.લી. નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સંતોષભાઈ વિજયભાઈ માહવા (40) નામનો યુવાન કારખાનામાં ક્રેનથી સાઇક્લોન ઉપર લોખંડનું પ્લેટફોર્મ ચડાવતો હતો.ત્યારે ક્રેનનો બેલ્ટ તૂટી જવાના કારણે પ્લેટફોર્મ નીચે દબાઈ જવાથી યુવાનને ગંભીર ઇજા થઈ હતી.જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.તેમજ આ અકસ્માત બનાવમાં મૃતક સંતોષની સાથે કામ કરી રહેલા અન્ય ત્રણ લોકોને પણ ઇજાઓ પહોંચી હતી.જેમાં અસલમ (ઉંમર ૩૦) ભીમ મહંતો (ઉમર ૨૪) તેમજ ઉપેન્દ્ર મહંતો (ઉમર ૨૧) નામના અન્ય ત્રણ મજૂરોને પણ ઇજાઓ પહોંચતા તેમને પણ અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા દ્વારા જણાવાયેલ છે.




Latest News