વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી


SHARE











મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી

મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો (પેરા મિલિટરી ફોર્સીસ) તથા પોલીસ ફોર્સની ભરતી પરીક્ષાઓમાં મહત્તમ સફળતા મેળવી શકે તેવા ઉમદા આશય સાથે સરકારી સ્તરે એક વિશેષ પ્રી-રિક્રુટમેન્ટ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત મોરબી જિલ્લાના વતની હોય તેવા ફક્ત પુરુષ ઉમેદવારો માટે ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા વધારવા અંગેના ૩૦ દિવસના સંપૂર્ણ મફત નિવાસી તાલીમ વર્ગ (રહેવા-જમવાની સગવડ સહિત) શરૂ કરવામાં આવનાર છે.

આ તાલીમ વર્ગમાં જોડાવા માટે ઉમેદવારની વયમર્યાદા ૧૭.૫ થી ૨૧ વર્ષની વચ્ચે હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં ધોરણ-૧૦ પાસ (ન્યૂનતમ ૫૦% ગુણ અને પ્રત્યેક વિષયમાં ૩૩% ફરજિયાત) અથવા ધોરણ-૧૨ પાસ હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત, શારીરિક ધોરણોમાં ઉમેદવારની ઊંચાઈ ૧૬૮ સેમી કે તેથી વધુ, વજન ૫૦ કિગ્રા કે તેથી વધુ, અને છાતી ફુલાવ્યા વગર ૭૭ સેમી તેમજ ફુલાવીને ૮૨ સેમી થવી જરૂરી છે. તબીબી રીતે સક્ષમ અને પાત્રતા ધરાવતા ઉત્સુક ઉમેદવારોએ પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની નકલો સાથે આગામી તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધીમાં (જાહેર રજાઓ સિવાય) કચેરી સમય દરમિયાન સવારે ૧૦:૩૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સ્વખર્ચે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

આ અગાઉ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત આવી કોઈ પણ નિવાસી તાલીમમાં ભાગ લીધેલો હોય તેવા ઉમેદવારો આ વખતે પ્રવેશ મેળવવા પાત્ર રહેશે નહીં. આ તાલીમ વર્ગ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન મેળવવા માટે કચેરીના સત્તાવાર હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨-૨૪૦૪૧૯ પર સંપર્ક સાધવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News