મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન


SHARE











મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન

અધિક માસની પવિત્ર અમાસના અવસરે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તેના “એડોપ્શન ઓફ માઁ” પ્રોજેક્ટ અંતર્ગત ૨૦ જરૂરિયાતમંદ માતાઓ માટે વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.હિંદુ ધર્મમાં અધિક માસની અમાસનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે.આ દિવસે દાન, પુણ્ય, સેવા અને જરૂરિયાતમંદોની મદદ કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. વડીલો અને માતૃશક્તિની સેવા કરવી તે સર્વોત્તમ પુણ્ય માનવામાં આવે છે.

આ ભાવનાને સાકાર કરતાં મુસ્કાન વેલફેર સોસાયટીએ માતાઓને પ્રેમ અને સન્માન સાથે ભોજન કરાવ્યું હતું. ઉપરાંત તમામ ૨૦ માતાઓને દૈનિક જીવન માટે ઉપયોગી બેઝિક રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.વરસાદી ઋતુને ધ્યાનમાં રાખીને દરેક માતાને એક છત્રી તેમજ ગરમીથી રાહત મળે તે હેતુથી શરબતની બોટલ પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માતાઓના ચહેરા પર પ્રસન્નતા અને સંતોષની લાગણી જોવા મળી હતી. સમાજના વડીલો અને માતૃશક્તિ પ્રત્યે માન, સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મુસ્કાન વેલફેર સોસાયટીનો આ એક નમ્ર પ્રયાસ હતો.મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભવિષ્યમાં પણ સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ માટે આવા અનેક સેવાકીય અને માનવતાવાદી પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.






Latest News