મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ


SHARE







મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ

મુસ્કાન વેલ્ફેર સોસાયટી-મોરબી દ્વારા સામાજિક સેવાના વધુ એક ઉપક્રમ અંતર્ગત પાડા પુલ નીચે ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારોને ૧૦૦ જેટલા ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઝૂંપડપટ્ટીમાં રહેતા અનેક પરિવારો આજે પણ રસોઈ બનાવવા માટે અપૂરતી અને અસુરક્ષિત વ્યવસ્થાનો ઉપયોગ કરતા હોય છે.આવા પરિવારોને સરળતાથી ભોજન બનાવી શકે તે હેતુસર આ ચૂલાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ આ સહાય બદલ આનંદ વ્યક્ત કરી હતી.

આ પ્રોજેક્ટ માટે સાધનાબેન ઘોડાસરા, કાજલબેન અદ્રોજા તથા ચંદાબેન કાબરાએ આર્થિક સહયોગ પૂરો પાડ્યો હતો. ઉપરાંત બી ડિવિઝન સ્ટાફનો પણ સમગ્ર આયોજન અને વિતરણ પ્રક્રિયામાં નોંધપાત્ર સહયોગ રહ્યો હતો.મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થી પરિવારોને ચૂલાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાએ જણાવ્યું હતું કે સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ સુધી ઉપયોગી સહાય પહોંચાડવાના પ્રયાસો ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે.આ કાર્યક્રમ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં નાની પરંતુ મહત્વપૂર્ણ મદદ પહોંચાડવામાં સફળતા મળી હોવાનું સંસ્થાએ જણાવ્યું હતુ.






Latest News