મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાશે


SHARE







મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાશે

૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની મોરબી જિલ્લામાં વ્યાપક સ્તરે ઉજવણી કરવાના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ દિવસનો કાર્યક્રમ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવનાર છે. જે અન્વયે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત તમામ સંબંધિત વહીવટી વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ સ્થળે સ્ટેજ વ્યવસ્થા, સુદ્રઢ બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, પાર્કિંગ સુવિધા, ટ્રાફિક નિયમન અને અન્ય તમામ મહત્વની આનુસંગિક વ્યવસ્થાઓ સમયસર અને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચરે જરૂરી સૂચનો કર્યા હતા.

સમગ્ર જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા સ્તરે પણ કાર્યક્રમોના સ્થળો નિયત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકાનો કાર્યક્રમ દેવ ફાર્મ ખાતે યોજાશે. જ્યારે ટંકારા તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે, હળવદનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતે, વાંકાનેરનો કાર્યક્રમ ટાઉનહોલ ગ્રાઉન્ડ (માર્કેટ ચોક) ખાતે તેમજ માળિયાનો સંયુક્ત કાર્યક્રમ સત્યસાંઈ વિદ્યામંદિર (પીપળીયા ચાર રસ્તા) ખાતે યોજાશે. આ બેઠકમાં ડીડીઓ વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા.






Latest News