મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

મોરબીની પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ શાળા ઓમશાંતિ વિદ્યાલય ખાતે તારીખ ૧૮ જૂન ૨૬ ના દિવસને ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના અગ્રદૂત એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ઝાંસીની રાણીના બલિદાનને યાદ કરવા માટે યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા રાણી લક્ષ્મીબાઈની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી તેમના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.

આ પ્રસંગે ધોરણ ૧૨ ની એક વિદ્યાર્થિની દ્વારા રાણી લક્ષ્મીબાઈના પ્રેરણાદાયી જીવન, તેમનો સંઘર્ષ અને દેશદાઝ વિશે ખૂબ જ સુંદર અને વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. તેના વક્તવ્ય દ્વારા ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને રાણી લક્ષ્મીબાઈના સાહસિક જીવનથી અવગત કરાવવામાં આવ્યા હતા અને દેશપ્રેમની ભાવના જગાડવામાં આવી હતી.શાળા પરિવારે તેમજ આચાર્યએ જણાવ્યું હતું કે આવા દેશભક્તોના જીવન ચરિત્રમાંથી પ્રેરણા મેળવીને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને સાહસના ગુણો ખીલે તે જ આ આયોજનનો મુખ્ય હેતુ છે. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.






Latest News