મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે રીક્ષામાંથી નીચે ઉતરતા યુવાનને બાઇક ચાલકે હડફેટે લેતા મોત


SHARE











મોરબી નજીક શક્તિ ચેમ્બર પાસે રીક્ષામાંથી નીચે ઉતરતા યુવાનને બાઇક ચાલકે હડફેટે લેતા મોત

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસે રીક્ષામાંથી નીચે ઊતરી રહેલા યુવાનને પાછળથી આવી રહેલા બાઈકચાલકે અડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને કપાળમાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને બાઇક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી ગયો હોવાથી હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા બાઇક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડિયા ગામે શક્તિપરા પંચાયત પાસે રહેતા રમેશભાઈ ગોરધનભાઈ ડઢૈયા જાતે કોળી (ઉ.૩૪) એ હાલમાં અજાણ્યા બાઇક ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ નાનાભાઈ મનોજભાઈ ગોરધનભાઈ ડઢૈયા જાતે કોળી (ઉ.૨૮) પોતે મજૂરીકામ કરતો હોય ઘરેથી શક્તિ ચેમ્બર પાસે ગયો હતો અને રિક્ષામાંથી તે નીચે ઊતરી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી મનોજભાઈ ગોરધનભાઈને માથા અને કપાળના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત સર્જીને અજાણ્યો બાઇક ચાલક પોતાનું બાઇક લઇને ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી હાલમાં રમેશભાઈ ગોરધનભાઈ ડઢૈયાએ અજાણ્યા બાઇક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મનોજભાઈને બે દીકરા અને એક દીકરી હોય અકસ્માતના આ બનાવના કારણે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News