ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ડેમું ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE













મોરબીના રફાળેશ્વર પાસે ડેમું ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર ડેમું ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા ૩૫ વર્ષના યુવાનનું મૃત્યુ નિપજયું છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ગત રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન રફાળેશ્વર ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ડેમુ ટ્રેનની અડફેટે આવી જવાથી કપાઈ જતા અજાણ્યા ૩૫ વર્ષના યુવાનનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબીના રેલવે સ્ટેશન માસ્તર મનોજકુમાર બિંદેશ્વરપ્રસાદ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ટ્રેન હેઠળ કપાયા જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા ૩૫ વર્ષના યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News