મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ
Breaking news
Morbi Today

વાંકાનેર મામલતદાર કચેરીમાં મિટિંગમાં બોલાવીને કલેક્ટર હાજર ન રહેતા ખેડૂતોનો બાટલો ફાટયો: જય જવાન જય કિશાનના લાગયા નારા


SHARE







વાંકાનેર મામલતદાર કચેરીમાં મિટિંગમાં બોલાવીને કલેક્ટર હાજર ન રહેતા ખેડૂતોનો બાટલો ફાટયો: જય જવાન જય કિશાનના લાગયા નારા

વાંકાનેર તાલુકામાંથી જુદી જુદી વીજ કંપનીઓની વીજ લાઈનો પસાર થઈ રહી છે ત્યારે તેના અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા કરવા માટે થઈને કલેકટરની હાજરીમાં એક મીટીંગનું વાંકાનેર મામલતદાર ઓફિસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને આ મીટીંગની અંદર એમઆરસી કમિટીની રચના બાબતે ચર્ચા થશે તેવું અધિકારીઓ ખેડૂતોને જણાવ્યું હતું. જોકે ખેડૂતોએ બે કલાક સુધી રાહ જોઈ તેમ છતાં પણ કલેકટર મિટિંગમાં આવ્યા ન હતા આટલું જ નહીં અન્ય જવાબદાર અધિકારી પણ બેઠકમાં હાજર રહ્યા ન હતા જેથી કરીને રોષે ભરાયેલા ખેડૂતોએ જય જવાન, જય કિસાનના નારા લગાવીને મિટિંગનો બહિષ્કાર કરીને મામલતદાર કચેરી છોડી દીધી હતી

હાલમાં સમગ્ર ગુજરાતની અંદર વીજ કંપનીની લાઈનો પાથરવા માટેનું કામ ચાલુ છે અને તેના માટે વીજ પોલ ઉભા કરવાનું અને વીજ વાયર પાથરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂતોને વળતર માટેની નવી નીતિ જાહેર કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોનું આંદોલન પાર્ટ 3 શરૂ થઈ ગયું છે તેમ છતાં પણ એમઆરસી કમિટીની રચના કરવા માટેની કવાયત પણ તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં હાથ ધરવામાં આવી છે તેવામાં આજે વાંકાનેર મામલતદાર કચેરી ખાતે વાંકાનેર તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી જે વીજ કંપનીની લાઈનો પસાર થાય છે તેના અસરગ્રસ્ત ખેડૂતો સાથે કલેકટર ની હાજરીમાં મામલતદાર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તે પ્રકારની જાણ રેવન્યુ તલાટી અને ગામના તલાટી દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને કરવામાં આવી હતી અને વાંકાનેર તાલુકાના પંચાસીયા, કોઠારીયા, રાણેકપર, ધિયાવડ સહિતના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જેથી 150 થી વધુ ખેડૂતો ત્યાં મિટિંગમાં આવ્યા હતા જોકે, 10:30 વાગ્યે જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તે મિટિંગ માટે 12:30 સુધી કલેક્ટર આવ્યા ન હતા આટલું નહીં પરંતુ તેઓના જવાબદાર અધિકારી પણ સભાખંડમાં ખેડૂતોને સાંભળવા માટે થઈને આવ્યા ન હતા

જેથી ખેડૂતો રોષે ભરાયા હતા અને ખેડૂતોએ મામલતદાર કચેરીમાં જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા અને મીટીંગનો બહિષ્કાર કરીને તમામ ગામના ખેડૂતો ત્યાંથી નીકળી ગયા હતા. અત્રે ઉલ્લેખીએ છે કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વળતર માટે નવી નીતિ જાહેર કરવામાં આવી છે તેમાં એમઆરસી કમિટી ની રચના કરવા માટેનું પણ આયોજન કર્યું હોય આજે વાંકાનેર તાલુકાના ખેડૂતોને બોલાવીને જુદા જુદા ગામ દીઠ એમઆરસી કમિટીમાં એક એક સભ્ય માટે થઈને ચર્ચા થવાની હતી તેના માટે થઈને ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા તેવી વાત ખેડૂતો કહી રહ્યા છે જોકે એક બાજુ નવી નીતિ જે સરકાર દ્વારા વળતર માટે જાહેર કરવામાં આવી છે તેનો વિરોધ થઈ રહ્યો છે અને બીજી બાજુ તંત્ર દ્વારા એમઆરસી કમિટીની રચના કરવા માટે ખેડૂતો સાથે મીટીંગોનું આયોજન કરવામાં આવે છે અને તે મિટિંગમાં અધિકારીઓ ડોકાતા નથી જેથી ખેડૂતોમાં ભારોભાર રોશની લાગણી હોય તે સ્વાભાવિક છે






Latest News