મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક છકડો રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા


SHARE







વાંકાનેર નજીક છકડો રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા

વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાથી આગળના ભાગમાં છકડો રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે કાર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં રીક્ષા ચાલકને માથામાં ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં બેઠેલા વ્યક્તિને માથામાં અને શરીરે ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા આ બાબતે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે હાલમાં કારના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના હસનપર ગામે રહેતા લાલજીભાઈ ઉર્ફે લાલો ઘોઘાભાઈ ટોટા (34)એ કાર નંબર જીજે 36 એઆર 7881 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સિમસ્ટોન સિરામિકથી થોડા આગળના ભાગમાં ફરિયાદી રિક્ષા નંબર જીજે 3 ઝેડ 4186 માં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ને કાર ચાલકે હડફેટ લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલક ભવાનભાઈ કેણાભાઈ પાંચિયા (55) ને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં બેઠેલા ફરિયાદીને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં ફરિયાદી પાસેથી મળતી વખતે પ્રમાણે છકડો રીક્ષામાં મોરબીથી પાવડર ભરીને તેઓ સરધારકા રોડ ઉપર માલ ખાલી કરવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા ચાલક ભવાનભાઈનું મોત નીપજ્યું છે






Latest News