હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષણ સેવા સંગઠન પર્વની ઉજવણી સંપન્ન


SHARE







મોરબીમાં શિક્ષણ સેવા સંગઠન પર્વની ઉજવણી સંપન્ન

મોરબી ખાતે ગ્રાન્ટેડ શાળાઓની મોરબી જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા ‘શિક્ષણ સેવા સંગઠન પર્વ-૨૦૨૬’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિ સાથે સંકળાયેલા વિવિધ શિક્ષક અને કર્મચારી સંગઠનોના રાજ્યના અગ્રણીઓ તથા પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં આદેશકુમાર મહેતા, નારણભાઈ વીરડા, લયલેશભાઈ પરમાર, સંજયભાઈ પંડ્યા તથા સુરેશભાઈ સરસાવાડિયાએ તજજ્ઞ વક્તા તરીકે માર્ગદર્શન આપતાં સંગઠનનું રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન, વ્યક્તિ વિકાસમાં સંગઠનની ભૂમિકા, નવી શિક્ષણ નીતિ તથા શિક્ષણ ક્ષેત્રે સંગઠનની આવશ્યકતા જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો.

આ પ્રસંગે સંચાલક મંડળના ડૉ.અનિલભાઈ મહેતા તથા ભાણજીભાઈ આદ્રોજાએ શિક્ષણ ક્ષેત્રના કર્મચારીઓને સંગઠનને વધુ મજબૂત બનાવવા તથા શિક્ષણની ગુણવત્તા વધારવા માટે એકતા સાથે કાર્ય કરવાની હાકલ કરી હતી. કાર્યક્રમના પ્રારંભે સમિતિના પ્રમુખ સંજીવભાઈ જાવિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનજીભાઈ કુંભરવાડિયાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.કાર્યક્રમનું સંચાલન મુસ્તાકભાઈ ભોરિયાએ કર્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા બાબુલાલ હુંબલ, વિશાલભાઈ ગોધાણી, રાઘવભાઈ સંઘાણી, ભાવેશભાઈ, કામરિયા, ઉષાબેન સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમ શિક્ષણ ક્ષેત્રે સંગઠનની એકતા, શિક્ષણસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શિક્ષણના સર્વાંગી વિકાસ માટે પ્રેરણાદાયી સાબિત થયો હતો.






Latest News