હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ


SHARE







મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારોકીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ

મોરબી મહાપાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરવા છતાં પણ લાતી પ્લોટના ઉદ્યોગકારો અને વેપારીઓને સારી પ્રાથમિક સુવિધાઓ મળતી નથી અને ખાસ કરીને ચોમાસાના ચાર મહિના દરમિયાન વરસાદના ચાર છાંટા પડતાની સાથે જ ગારોકીચડ અને ગંદકીનું સામ્રાજ્ય લાતી પ્લોટ વિસ્તારમાં છવાઈ જતું હોવાથી કારખાનેદારો અને વેપારીઓ પોતાની દુકાને જઈ શકતા નથી તો ગ્રાહકો કેવી રીતે તેની દુકાને આવે તે સવાલ ઉઠી રહ્યો છે

મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળના નાના-મોટા અનેક કારખાના આવેલા છે તેમાં હજારો લોકોને રોજગારી મળતી હોય છે જેથી મોરબી તથા ગ્રામ્ય વિસ્તારમાંથી મહિલાઓ સહિતના લોકો ત્યાં રોજગારી મેળવવા માટે થઈને આવતા હોય છે પરંતુ ચોમાસાના ચાર મહિના દરમિયાન તેઓ પોતાના જીવના જોખમે આ વિસ્તારમાં રોજગાર મેળવવા માટે જતા હોય તેવો ઘાટ જોવા મળે છે કારણ કે તમામ વિસ્તારોની અંદર વરસાદના ચાર છાંટા પડતાની સાથે જ ગારોખીચડ અને ગંદકીનું સામ્રાજ્ય પથરાઈ જાય છે. અને તેના લીધે ઘણી વખત નાના-મોટા અકસ્માતો પણ થતા હોય છે તેમ છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી

લાતી પ્લોટના સ્થાનિક વેપારી ચંદ્રકાંતભાઈ મોઢા અને કરમણભાઈ મકવાણાના જણાવ્યા મુજબ છેલ્લા 40 વર્ષથી તેઓ ત્યાં દુકાન ધરાવે છે અને દર વખતે ચોમાસામાં આ વિસ્તારની હાલત દયનીય હોય છે અને વેપારીઓ તથા ઉદ્યોગકારો પણ પોતાની દુકાન કે મિલકતમાં જઈ શકતા નથી તો આ વિસ્તારની અંદર ગ્રાહકો કેવી રીતે માલની ખરીદી કરવા માટે આવે અને લોકો પોતાના ધંધા રોજગાર કેવી રીતે ચલાવે તેવું પણ ક્યારેય અધિકારી કે પદાધિકારી વિચારતા જ નથી. જ્યારે લોકો રોડ બનાવવાની વાત કરે ત્યારે પદાધિકારી અને અધિકારીઓ આવીને સારા રોડની લોલીપોપ આપીને જાય છે

લાતી પ્લોટના ઉદ્યોગકારો સમગ્ર મોરબીમાં સૌથી વધુ ટેક્સ મહાપાલિકામાં ચૂકવે છે તો પણ સારા રોડ કેમ મળતા નથી તે બાબતે મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની સાથે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, હાલમાં લાતી પ્લોટની ઉભી અને આડી 14 શેરીમાં રસ્તાઓને મોટરેબલ કરવાનું કામ ચાલી રહી છે. અને જે જગ્યાઓએ ભૂગર્ભ અને સ્ટોમ વોટરના પાણીનો નિકાલ કરવા માટે પાઇપ લાઇન પરવામાં આવી છે ત્યાં માટીનું પુરણ વ્યવસ્થિત ન થયું હોય તો ત્યાં પ્રીમિક્સ નાખીને રસ્તાને મોટરેબલ કરવામાં આવી રહ્યા છે.

હાલમાં અધિકારીના કહેવા મુજબ જો વરસાદ ન આવે તો આગામી 15 દિવસની અંદર લાતી પ્લોટની તમામ શેરીઓ મોટરેબલ થઈ જશે જો કેછેલ્લા ઘણા વર્ષોથી ચોમાસાના ચાર મહિના ધંધા રોજગાર બંધ રાખવા પડે તેવી પરિસ્થિતિ લાતી પ્લોટની હોય છે જો કેઆ ચોમાસામાં શું સ્થિતિ થશે તે તો હવે સમય જ બતાવશે.






Latest News