મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર


SHARE





મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર

​ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (GSCSC) મોરબી દ્વારા જિલ્લામાં સરકારી કામગીરીની પારદર્શિતા અને ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી એક અગત્યની જાહેર નિવિદા પ્રસિદ્ધ કરવામાં આવી છે. નિગમના ધારાધોરણ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મોરબી અને વાંકનેર તાલુકા કક્ષાએ આવેલા ગોડાઉન ખાતે ઉપલબ્ધ ૧૨ થી ૫૦ ટનની ન્યૂનતમ વજન ક્ષમતા ધરાવતા વે-બ્રિજના કેલિબ્રેશન (રીપેરિંગ અને માપન) માટે GeM (ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ) પોર્ટલ મારફતે રીવર્સ ઈ-ઓક્શન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ જાહેર નિવિદા અન્વયે તોલમાપ વિભાગનું માન્ય રીપેરીંગ લાયસન્સ કે સર્ટીફીકેટ ધરાવતી ઈચ્છુક એજન્સીઓ અને સપ્લાયર્સો GeM પોર્ટલ મારફતે ઓનલાઈન ભાગ લઈ શકશે. આ ઈ-ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ ૨૮ જુલાઈ, ૨૦૨૬ નિયત કરવામાં આવી છે. કેલિબ્રેશનની આ તમામ કામગીરી જે તે તાલુકા કક્ષાના સરકારી ગોડાઉન ખાતે કરવાની રહેશે. ટેન્ડર ફોર્મ ડાઉનલોડ કરવા તેમજ નિયમો અને શરતો અંગેની વધુ વિગતો મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ https://gem.gov.in નો સંપર્ક સાધવા નાયબ જિલ્લા મેનેજર (ગ્રેડ-૨), ગુ.રા.ના.પુ.નિ.લી. મોરબીની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.૨૪/૦૭/૨૦૨૬ રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેરના આઈ.ટી.આઈ. ખાતે આયોજિત આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્થળ પર જ વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે.




Latest News