મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 લોકોની સહી સાથે કલેક્ટરને આવેદપત્ર પાઠવ્યું હળવદ પત્રકાર એસો. દ્વારા 2 ઓગસ્ટના રોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીમાં ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સરકારી શાળામાં ચોપડાનું વિતરણ કરાયું મોરબી જીલ્લામાં મયુરનગર અને ટીકર પાસેના તૂટી ગયેલા કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ કામ પૂર્ણ સુરત ખાતે યોજાયેલ વિહિપની બેઠકમાં મોરબી સહિત સૌરાષ્ટ્ર પ્રાંતના હોદેદારો હાજર રહ્યા મોરબી જીલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૨૫ ના વિજેતા ખેલાડીઓ જોગ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ આઇટીઆઇ ખાતે ભરતી મેળો યોજાશે મોરબી જીલ્લામાં ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા ૨૫૫ જનજાગૃતિ કાર્યક્રમો યોજીને બાળ અધિકારો અને સુરક્ષાનો સંદેશ અપાયો
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ આઇટીઆઇ ખાતે ભરતી મેળો યોજાશે


SHARE







મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ આઇટીઆઇ ખાતે ભરતી મેળો યોજાશે

મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૯/૦૭/૨૦૨૬ રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ચાચાવદરડા-પીપળીયા ચાર રસ્તા, માળીયા મીયાણા હાઇવે પાસે આવેલ માળીયા આઈ.ટી.આઈ. ખાતે આયોજિત આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્થળ પર જ વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. આ ઔદ્યોગિક ભરતી મેળામાં ભાગ લેવા માટે નોન-મેટ્રિક (ધોરણ ૯ પાસ), એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. અથવા સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત તેમજ ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો પાત્ર રહેશે. ખાનગી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા રસ ધરાવતા તમામ ઉમેદવારોએ પોતાના તમામ અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બાયોડેટાની નકલો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નિયત સ્થળ અને સમયે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. 






Latest News