મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં


SHARE





વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં

મોરબીમાં રહેતી મહિલા બાઈકમાં બેસીને વાંકાનેરમાં મામલતદાર ઓફિસ પાસે રાજકોટ રોડ ઉપરથી પસાર થઈ હતી દરમિયાન તેઓના બાઈકની આડે ગાય આવતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહિલાને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મોરબીમાં ગઢની રાંગ વિસ્તારમાં રહેતા મુસ્કાનબેન કાસમભાઇ સોલંકી (23) નામના મહિલા ગત તા. 25/7 ના રોજ સાંજના સમયે બાઇકમાં બેસીને વાંકાનેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ મામલતદાર ઓફિસ સામે પચ્ચીસ વારીયા જકાતનાકાથી આગળના ભાગમાં પસાર થઈ રહી હતી ત્યારે તેઓના બાઈકની આડે રસ્તા ઉપર ગાય આવી ગઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં મહિલાને ઈજા થહોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદના નવા ધનાળા ગામે રહેતા નસિંગ (22) નામના યુવાનને રાપર ગામના પાટીયા પાસે માળિયા રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

આધેડને પથ્થર માર્યો

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા બાબુભાઈ સુરાભાઈ ખાંભલા (50) નામના આધેડને સનાળા પોલીસ ચોકી નજીક ધીરુભાઈ ગઢવી નામના રીક્ષા ચાલકે પથ્થર માર્યો હતો જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી અને રીક્ષાના પેસેન્જર બાબતે બોલાચાલી ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું છે.




Latest News