મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા
Breaking news
Morbi Today

મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો

મોરબીની અગ્રણી શિક્ષણ સંસ્થા ઓમશાંતિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં મનોરંજન સાથે કૌતુક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તેવા હેતુથી જાદુગર આવેલા હતા. જેમાં સુપ્રસિદ્ધ જાદુગર રાજકુમારે ઉપસ્થિત રહીને પોતાના અદ્ભુત અને મંત્રમુગ્ધ કરી દે તેવા જાદુના પ્રયોગો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જાદુગર રાજકુમારે પોતાની અવનવી હાથચાલાકી, નજરબંધી અને મનોરંજક જાદુઈ ખેલ રજૂ કરીને શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાળપણથી જ જિજ્ઞાસુ રહેલા વિદ્યાર્થીઓ માટે આ શો માત્ર મનોરંજન જ નહીં પરંતુ આશ્ચર્ય અને આનંદથી ભરપૂર રહ્યો હતો. જાદુગરે પોતાના ખેલ થકી એ પણ સંદેશ આપ્યો હતો કે જાદુ એ કોઈ ચમત્કાર નથી પરંતુ એક વિજ્ઞાન, ગણિત અને હાથચાલાકીની કળા છે.શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને માનસિક તાજગી માટે સમયાંતરે આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જાદુગર રાજકુમારના આ પ્રયાસને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકગણ તથા સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News