મોરબીમાં છતનું સેન્ટીંગ કામ કરતાં સમયે ઉપરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત: આદર્શ સોસાયટીમાં ઘરે સુતેલા વૃદ્ધનું નિદ્રાધીન અવસ્થામાં મોત
SHARE
મોરબીમાં છતનું સેન્ટીંગ કામ કરતાં સમયે ઉપરથી નીચે પટકાતા વૃદ્ધનું મોત: આદર્શ સોસાયટીમાં ઘરે સુતેલા વૃદ્ધનું નિદ્રાધીન અવસ્થામાં મોત
મોરબીના વજેપર વિસ્તારમાં મકાનનું બાંધકામ ચાલુ હતું ત્યારે સેન્ટીંગના સળિયા ગોઠવતા વૃદ્ધ કામ કરતા હતા ત્યારે ડાક છટકી જવાના કારણે ઉપરથી તેઓ નીચે પટકાયા હતા અને વૃદ્ધને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેમનું મોત નીપજ્યું હતું જ્યારે મોરબીની આદર્શ સોસાયટીમાં રહેતા વૃદ્ધ સવારે પોતાના ઘરે ઉઠ્યા ન હતા જેથી તેઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા ગુલામરસુલભાઇ હારુનભાઈ માલાણી (60) નામના વૃદ્ધ મોરબીના વજેપર શેરી નં 7 માં ભરતભાઈ દિલીપભાઈ ડાભીના મકાને બાંધકામ ચાલુ હોય ત્યાં છતનું સેન્ટીંગ કામની મજૂરી કરતા હતા ત્યારે છતના બાંધકામના પતરા ગોઠવતા સમયે લોખંડના સળિયા નું સેન્ટીંગ કામ કરતા હતા અને ત્યારે ડાક લઈને સળિયા વાળતા હતા ત્યારે ડાક છટકી જતા ઉપરથી તેઓ સીધા નીચે પટકાયા હતા જેથી તેમને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની મૃતક વૃદ્ધના દિકરા અનવરભાઈ ગુલામરસુલભાઈ માલાણી (43) રહે. કુલીનગર મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મોરબીમાં ઉમા ટાઉનશિપની પાછળના ભાગમાં આવેલ આદર્શ સોસાયટીમાં રહેતા ગોરધન ગુરુબાડી પેન્થોઈ (62) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે સુતા હતા અને સવારે સાડા સાત વાગ્યે તેઓને ઉઠાડવા જતા તે ઊઠ્યા ન હતા જેથી બેભાન અવસ્થામાં 108 મારફતે તેઓને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે









