ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો
મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું
SHARE
મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું
મોરબીમાં શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિતે બળેવ અને રક્ષાબંધન પર્વ અંતર્ગત રવિવારના રોજ નિઃશુલ્ક જનોઈ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મોરબીના અગ્નેશ્વર મહાદેવ મંદિર, ગાયત્રી મંદિર વાઘપરા, સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ હોલ, બ્રહ્મપુરી સોસાયટી, કુબેરનાથ મંદિર, ત્રિલોકધામ, શોભેશ્વર મહાદેવ મંદિર, પરશુરામધામ મંદિર જેવા ધાર્મિક સ્થળો પર નિઃશુલ્ક 1001 જનોઈનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે પરશુરામ યુવા ગૃપના પ્રમુખ કૌશલભાઈ મહેતા, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી, ધર્મભાઈ રાવલ તેમજ વિજયભાઈ રાવલ તથા દિવ્યેશભાઈ મહેતા, ભાર્ગવ મહેતા, હિમભાઈ દવે, દીપભાઈ પંડ્યા, કિશનભાઇ મહેતા, બળદેવભાઈ, આશિષભાઈ દવે, દેવભાઈ ભટ્ટ, ચિરાગભાઈ ઠાકર, ભાર્ગવભાઈ શુક્લા, ઋષિભાઈ આચાર્ય, હાર્દિકભાઈ ભટ્ટ, દેવાશીષ જાની, કપિલભાઈ દવે સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા.