મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત


SHARE





વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં ટાઇલ્સ લાગતાં સારવારમાં ખસેડાયેલ મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં મોત

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાને પગમાં ટાઈલ્સ લાગી હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને રજા આપવામાં આવી હતી ત્યાર બાદ મહિલાને રૂમ લઈને ગયા હતા ત્યાર તેને ઝાડા ઉલટી થવા લગતા ફરી સારવાર માટે લઈને આવ્યા હતા ત્યારે સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું હતું અને મૃતક મહિલાના મૃતદેહનું પીએમ કરાવતા તેના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જવાના કારણે મહિલાનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક કારખાનાના લેબર કવાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા હીરબાઈ ભાગચંદ વંશલ (33) નામની મહિલાને ગત તા. 23/8 ના રોજ સવારે 9:00 વાગ્યાના અરસામાં કારખાનામાં કામ કરતી હતી ત્યારે જમણા પગમાં ટાઇલ્સ લાગી હતી જેથી તેને સારવાર માટે રફાળેશ્વર પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ સાંજના સમયે રજા આપી દેવામાં આવી હતી જેથી મહિલાને સિરામિક કારખાનામાં લેબર કવાર્ટરમાં લઈ ગયા હતા અને ત્યારબાદ રાત્રે તેને ઝાડા ઉલટી થવા લાગતા તે મહિલાને ફરી પાછા રફાળેશ્વર ગામ પાસે આવેલ હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપીને વધુ સારવાર માટે તેને મોરબીની બીજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી હતી ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને બાદમાં આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું તેમાં મૃતક મહિલાના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જવાથી તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે જેની પોલીસ દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




Latest News