મોરબી તાલુકા પોલીસે 10.38 લાખના 38 મોબાઈલ ફોન શોધીને લોકોને પરત કર્યા
મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
SHARE
મોરબી મહાપાલિકાએ પાલિકાના સમયમાં બનેલા બિન ઉપયોગી બે શુલભ શોચલાય તોડી પાડ્યા
મોરબીમાં આવેલ ખાખરેચી દરવાજા પાસે વર્ષો પહેલા નગરપાલિકા હતી ત્યારે જુદાજુદા સમયે બે જાહેર સુલભ શૌચાલય બનાવવામાં આવ્યા હતા જોકે, છેલ્લા ઘણા વર્ષોથી તે બંને બંધ પડ્યા હતા અને બિન ઉપયોગી હતા તેને મહાનગરપાલિકાની ટીમ દ્વારા જેસીબી વડે ડિમોલેશન કરીને તોડી પાડવામાં આવેલ છે અને હાલમાં શૂલભ શૌચાલયને તોડીને જમીન ખુલ્લી કરવામાં આવેલ છે ત્યાં ભવિષ્યમાં રોડ બનાવીને શહેરમાંથી સામાકાંઠે આવવા જવા માટેનો જે બેઠપૂલનો રસ્તો છે ત્યાં જે ટ્રાફિકનો પ્રશ્ન ઊભો થાય છે તેને ઉકેલવામાં આવશે. તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે