મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ


SHARE





મોરબીમાં ભાજપના હોદેદારને વ્યાજના ચક્રમાં ફસાવીને મારવા માટે મજબૂર કરનારા બે વ્યાજખોરની ધરપકડ

મોરબીની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મોરબી જિલ્લા યુવા ભાજપ મીડિયા સેલના સહ ઇન્ચાર્જ યુવાનનો ધંધો બરાબર ચાલતો ન હતો જેથી ભાજપના આગેવાને વ્યાજે રૂપિયા લીધેલા હતા અને વ્યાજે રૂપિયા આપનાર શખ્સોને વ્યાજ ચૂકવી દીધું હતું તેમ છતાં પણ યુવાન પાસેથી તેની કાર લઈ લેવામાં આવી હતી અને કાર પાછી માંગવામાં આવી ત્યારે યુવાને વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તેમજ વારંવાર ફોન કરીને યુવાનને હેરાન કરવામાં આવતો હતો જેથી યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈને પોતાના જ ઘરની અંદર આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની પત્નીએ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી માં રહેતા ઈલાબા અમૃતસિંહ જાડેજા (28)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મયુરભાઈ ડોડીયા રહે. ચરાડવા તથા યુવરાજભાઈ ઉર્ફે લાલાભાઇ રહે. કોંઢ વાળાની સામે પતિને મરવા માટે મજબૂર કર્યા હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પતિ અમૃતસિંહ (ઓમદેવસિંહ) દાનુભા જાડેજાનો ધંધો બરાબર ચાલતો ન હતો જેથી મયુરભાઈ ડોડીયાના કહેવાથી યુવરાજભાઈ પાસેથી ફરિયાદીના પતિએ વ્યાજે રૂપિયા લીધેલા હતા અને ફરિયાદીના પતિએ વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ ચૂકવી આપ્યું હતું તેમ છતાં પણ આરોપીઓએ ફરિયાદીના પતિ ની કાર નંબર જીજે 36 એઆર 8000 તેઓની પાસેથી લઈને પોતાની પાસે રાખી લીધી હતી અને તે કાર પરત માંગતા આરોપીઓએ વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને અવારનવાર ફોન કરીને ફરિયાદીના પતિને હેરાન પરેશન કર્યા હતા જેથી કરીને ફરિયાદીના પતિ દ્વારા તેઓના ત્રાસથી કંટાળીને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેવામાં આવ્યો હતો જેથી યુવાનને મરવા માટે થઈને મજબૂર કરનારા બે વ્યાજખોરોની સામે મૃતક યુવાનના પત્નીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે મહેશ ઉર્ફે મયુરસિંહ દિલીપભાઇ ચૌહાણ (31) રહે. ભરવાડ વાસ ચરાડવા તથા લાલાભાઇ ઉર્ફે યુવરાજ ગોપાલભાઈ ખવાસ (26) રહે. કોંઢ વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News