ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ભંગાર રસ્તા રીપેર ન થાય તો કોંગ્રેસ કરશે આંદોલન: જયંતીભાઈ પટેલ


SHARE













મોરબી જિલ્લાના ભંગાર રસ્તા રીપેર ન થાય તો કોંગ્રેસ કરશે આંદોલન: જયંતીભાઈ પટેલ

મોરબી જિલ્લાના મોટાભાગના તાલુકામાં રોડ રસ્તા બિસ્માર છે જેથી કરીને અવાર નવાર અકસ્માતો થાય છે. અને લોકોના જીવ જાય છે જેથી કરીને ભંગાર રસ્તાઓના પેચવર્ક કરવા તથા રોડના નવીનીકરણ કરવાની તાતી જરૂર છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા આ મુદે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલએ તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી ઔદ્યોગિકનગરી છે જેથી કરીને અહિયાં ૪૦થી ૫૦ ટન માલ ભરેલા વાહનોની અવર જવર રસ્તા ઉપર રહેતી હોય છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને જો સરકાર દ્વારા રોડ રસ્તા બનાવવામાં આવે તો જ અહીના રસ્તા ટકી શકે તેમ છે તેઓએ જણાવ્યુ છે કે, મોરબીમાં સીરામીક, ઘડિયાળ, પેપર, સનમાઈકા, પેકેજિંગ સહિતના નાના-મોટા અનેક ઉદ્યોગ આવેલ છે. આ ઉદ્યોગોના લીધે ભારે વાહન, પેસેન્જર વાહન તથા પ્રાઇવેટ વાહનની મોટી અવર જવર રહે છે ત્યારે રસ્તા ઉપર ઊડતી ધૂળની ડમરીઓ બંધ કરવા માટે તાત્કાલિક રોડ રીપેર કરવામાં આવે તેવી માંગ કરેલ છે મોરબી જેતપર રોડ, હળવદ રોડ અને કંડલા બાયપાસ રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. અને ખરાબ રસ્તાના લીધે ઉદ્યોગકારો, મજૂરો, સપ્લાયર, રાહદારીઓ, ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને નિર્દોષ લોકોના જીવ પણ આ ભંગાર રોડના લીધે જાય છે ત્યારે લોકોના જીવ બચાવવા માટે રોડના કામ કરવામાં આવે તે જરૂરી છે અને જો તંત્ર દ્વારા કામ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું ચીમકી ઉચ્ચારી છે






Latest News