મોરબીમાં જમીન સંપાદન બાદ જમીન માલીકને આપેલ ઓછા વળતરની સામે વ્યાજ સાથે ૧૦ થી ૧૨ ગણુ વળતર અપાવતી સિવિલ કોર્ટ મોરબીમાં શનિ-રવિવારે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પ  અનોખો વિરોધ: પેટ્રોલ પંપ ઉપર ડીઝલનો જથ્થો ન હોય મેલોડી ચોકલેટનું મોરબીમાં કોંગ્રેસ દ્વારા કરાયુ વિતરણ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી વાંકાનેરના આંબેડકરનગરમાં બે યુવાન પર પાઇપ - છરીથી હુમલો માળીયા (મી) નજીક હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા માટી ભરેલા ટ્રક ટ્રેલરમાંથી 468 બોટલ દારૂ-232 દારૂના ચપલા ઝડપાયા: 34.21 લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાના ITI માં બે દિવસીય સમર સ્કિલ વર્કશોપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈના નિવાસ સ્થાને દરજી જ્ઞાતિના ઘડિયા લગ્ન યોજાયા


SHARE











મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈના નિવાસ સ્થાને દરજી જ્ઞાતિના ઘડિયા લગ્ન યોજાયા

સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ બંધ કરી સાદગી પૂર્વક ઘડિયા લગ્નપ્રસંગ યોજવા સંદેશ આપનાર મોરબી પાટીદાર સમાજની પહેલ રંગ લાવી રહી છે જે અંતર્ગત મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આ પ્રવૃત્તિને વેગ આપવા ઉત્સાહપ્રેરક જાહેરાત કરી હતી અને ઉમા ટાઉનશીપ મુકામે આવેલા તેમના નિવાસસ્થાને જે કોઈ સમાજ ઘડિયા લગ્નનું આયોજન કરશે તેઓને આ જગ્યા ઉપરાંત તેમના તરફથી ભોજન સમારંભનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે.દરમ્યાન દરજી જ્ઞાતિ દ્વારા ઘડિયા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી તેમજ પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડીયા, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ સિરામિક ઉદ્યોગપતિ વેલજીભાઈ ઉઘરેજા (બોસ સીરામીક) તથા દરજી સમાજના પ્રમુખ સહિતના હાજર રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.






Latest News