મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના ૧૩,૬૦૦ જેટલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયા


SHARE











મોરબી જીલ્લાના ૧૩,૬૦૦ જેટલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયા

મોરબી જીલ્લામાં ચણાને ટેકાના ભાવે વેચાણ કરવા માટે ૧૩,૬૦૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને આજથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ટેકાના ભાવેથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ખેડૂતોના ચણાની ટેકાના ભાવે મોરબી માર્કેટ યાર્ડ સહિત જીલ્લામાં કુલ મળીને ત્રણ સેન્ટરો ઉપર ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે

વર્તમાન સમયમાં યાર્ડના ખુલ્લા માર્કેટમાં ચણા ખેડૂતો વેચી રહ્યા છે તેના કરતાં વધુ ટેકાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેથી કરીને ખેડૂતો મોરબી જીલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવે તેની લાંબા સમયથી ખેડૂતો દ્વારા રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આજે મોરબી જીલ્લામાં મોરબી માર્કેટ યાર્ડ, હળવદ માર્કેટ યાર્ડ અને ટંકારા ખાતે જીનમાં ખેડૂતો પાસેથી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે

મોરબી જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાંથી ટેકાના ભાવે ચણા વેચવા માટે કુલ મળીને ૧૩,૬૦૦ ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને આ ખેડૂતો પાસેથી વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી લેવામાં આવે તે જરૂરી હતું ત્યારે રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોમાંથી દરરોજના ૧૦૦ જેટલા ખેડૂતોને દરેક સેન્ટર ઉપર બોલાવીને તેના ચણાની ખરીદી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અને કોઇપણ ખેડૂતના ચણા રીજેક્ટ ન કરવામાં આવે તે રીતે ખરીદીની પ્રક્રિયા કરવામાં આવે તેની પણ અધિકારીઓને કાળજી રાખવા માટે મોહનભાઇ કુંડારિયા સહિતના આગેવાનો સૂચના આપી છે 

રાજકોટ સાંસદ મોહાનભાઈ કુંડારિયાએ જણાવ્યુ હતું કે, આજની તારીખે ખુલ્લા માર્કેટમાં ખેડૂતો તેનો ચણાનો માલ વેચવા માટે જાય તો વધુમાં વધુ ૮૦૦ થી ૯૦૦ રૂપિયા ભાવ આવે છે જો કે, સરકાર દ્વારા ગુજકો માર્સલના નેજા હેઠળ ખેડૂતો પાસેથી ૧૧૪૩ રૂપિયાના ભાવથી ટેકના ભાવે ચણાની ખરીદી શરૂ કરેલ છે જેથી કરીને ખેડૂતોને તેના માલનો પૂરો ભાવ મળશે સાથોસાથ ખુલ્લા બજારમાં પણ ચણાના ભાવમાં વધારો થશે જેથી કરીને ખેડૂતોને પોતાના માલનો સારો ભાવ મળશે આ તકે યાર્ડના ચેરમેન ભાવાનભાઇ ભાગીયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા, મોરબી જીલા પંચાયતના માજી પ્રમુખ અને યાર્ડના ડિરેક્ટર કેશુભાઈ રૈયાણી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News