મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના ૧૩,૬૦૦ જેટલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયા


SHARE











મોરબી જીલ્લાના ૧૩,૬૦૦ જેટલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયા

મોરબી જીલ્લામાં ચણાને ટેકાના ભાવે વેચાણ કરવા માટે ૧૩,૬૦૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને આજથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ટેકાના ભાવેથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ખેડૂતોના ચણાની ટેકાના ભાવે મોરબી માર્કેટ યાર્ડ સહિત જીલ્લામાં કુલ મળીને ત્રણ સેન્ટરો ઉપર ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે

વર્તમાન સમયમાં યાર્ડના ખુલ્લા માર્કેટમાં ચણા ખેડૂતો વેચી રહ્યા છે તેના કરતાં વધુ ટેકાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેથી કરીને ખેડૂતો મોરબી જીલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવે તેની લાંબા સમયથી ખેડૂતો દ્વારા રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આજે મોરબી જીલ્લામાં મોરબી માર્કેટ યાર્ડ, હળવદ માર્કેટ યાર્ડ અને ટંકારા ખાતે જીનમાં ખેડૂતો પાસેથી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે

મોરબી જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાંથી ટેકાના ભાવે ચણા વેચવા માટે કુલ મળીને ૧૩,૬૦૦ ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને આ ખેડૂતો પાસેથી વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી લેવામાં આવે તે જરૂરી હતું ત્યારે રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોમાંથી દરરોજના ૧૦૦ જેટલા ખેડૂતોને દરેક સેન્ટર ઉપર બોલાવીને તેના ચણાની ખરીદી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અને કોઇપણ ખેડૂતના ચણા રીજેક્ટ ન કરવામાં આવે તે રીતે ખરીદીની પ્રક્રિયા કરવામાં આવે તેની પણ અધિકારીઓને કાળજી રાખવા માટે મોહનભાઇ કુંડારિયા સહિતના આગેવાનો સૂચના આપી છે 

રાજકોટ સાંસદ મોહાનભાઈ કુંડારિયાએ જણાવ્યુ હતું કે, આજની તારીખે ખુલ્લા માર્કેટમાં ખેડૂતો તેનો ચણાનો માલ વેચવા માટે જાય તો વધુમાં વધુ ૮૦૦ થી ૯૦૦ રૂપિયા ભાવ આવે છે જો કે, સરકાર દ્વારા ગુજકો માર્સલના નેજા હેઠળ ખેડૂતો પાસેથી ૧૧૪૩ રૂપિયાના ભાવથી ટેકના ભાવે ચણાની ખરીદી શરૂ કરેલ છે જેથી કરીને ખેડૂતોને તેના માલનો પૂરો ભાવ મળશે સાથોસાથ ખુલ્લા બજારમાં પણ ચણાના ભાવમાં વધારો થશે જેથી કરીને ખેડૂતોને પોતાના માલનો સારો ભાવ મળશે આ તકે યાર્ડના ચેરમેન ભાવાનભાઇ ભાગીયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા, મોરબી જીલા પંચાયતના માજી પ્રમુખ અને યાર્ડના ડિરેક્ટર કેશુભાઈ રૈયાણી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News